દ્વારકા / તંત્ર માત્ર કાગળ પર કરે છે કામ, દરિયા કિનારે કોઈ સિક્યુરિટી નહિ

રાજ્યના દરિયા કિનારે આજે મધરાત્રે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાંને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે દ્વારકાના દરિયામાં કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવી નથી. વાવાઝોડાંથી અજાણ હોઈને સમુદ્ર કિનારે પ્રવાસીઓ જોખમી સ્નાન કરતાં જોવા મળ્યાં હતા. દ્વારકાનું તંત્ર માત્ર કાગળ પર જ કામ કરતું હોય તેવુ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા દરિયા કિનારે કોઈ પણ પ્રકારની સિક્યોરિટી રાખવામાં આવી નથી. હાલમાં દરિયો તોફાની બન્યો છે તેમ છતાં લોકો પ્રવાસીઓ દરિયા કિનારે જોખમી સેલ્ફી પાડતે નજરે પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ