અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે AMCદ્વારા સાયકલ ટ્રેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. AMC નો આ પ્રોજેક્ટ પણ ફ્લોપ થતા AMC દ્વારા સાયકલ ટ્રેકને હવે દૂર કરવામાં આવશે.
અમદાવાદમાં સાયકલ ટ્રેક ફ્લોપ
સાયકલ ટ્રેકની જગ્યા ખુલ્લી કરાશે
ટ્રાફિકની સમસ્યા થતી હોવાનુ થયુ ભાન
અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. પરંતું AMC નો આ પ્રોજેક્ટ પણ ફ્લોપ થતા એએમસી દ્વારા સાયકલ ટ્રેકને હવે દૂર કરવામાં આવનાર છે. ત્યારે સાયકલ ટ્રેકના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોઈ તેમજ અમુક વાહન ચાલકો પોતાના વાહન સાયકલ ટ્રેક પર પાર્ક કરતા હોઈ AMC ને હવે તે વાતનું ભાન થતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સાયકલ ટ્રેકને હવે AMC દ્વારા દૂર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે ક્યા વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયકલ પ્રોજેક્ટ માટે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તાના રોડની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં કેશવ પાર્ટી પ્લોટથી પકવાન ચાર રસ્તા સુધી, જજીસ બંગ્લોઝથી એનઆઈએફડી સર્કલ સુધી, વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલથી એસજી હાઈવે ગુરુદ્વારા સુધી રોડ ઉપર સ્ટ્રીટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાયકલ ટ્રેક બનાવ્યા હતા.
કરોડોના ખર્ચે બોડકદેવમાં સાયકલ ટ્રેક બનાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેક બનાવી એર પોલ્યુશન ઘટાડવાનો અનોખો અભિયાન હાથ કર્યો હતો. ત્યારે સાયકલ ટ્રેક માટે AMC એ શહેરમાં ત્રણ જગ્યાએ સાયકલ ટ્રેકનો પ્રોજેક્ટ બનાવવાનો શરૂ કર્યો હતો. જેમાં શહેરના બોડકદેવમાં રૂ. 5.50 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક તૈયાર કર્યો હતો. પરંતું દિવસભર ખાનગી વાહનો સાયકલ ટ્રેક પર અડીંગા જમાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ હવે ફ્લોપ સાબિત થયો છે.
ફૂટપાથ પર ફેરિયાઓ અડીંગો જમાવીને બેસે નહી તે માટે જગ્યા ખુલ્લી રાખવામાં આવી છેઃસ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન
આ બાબતે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદમાં 60 ફૂટ, 80 ફૂટ અને 100 ના રોડ પર જે ફૂટપાટો છે. તેને ચાલવા માટે બનાવેલી હોય છે. જેથી તેને ખુલ્લી રાખવામાં આવે છે. જેથી આ ફૂટપાટો પર કોઈ ફેરિયા ત્યાં અડીંગો જમાવીને બેસે નહી તે માટે તેને ખુલ્લી રાખવામાં આવી છે.