ગુજરાતમાં મંત્રીઓની શપથવિધીના 2 કલાક પહેલા ફોન ભાજપના નેતાઓને ફોન કરવાની જવાબદારી સોંપાઈ, જાણો આ નામો પર વાગી શકે છે મહોર
શપથવિધીના 2 કલાક પહેલા ફોન કરવામાં આવશે
ભાજપના ધારાસભ્યો MLA કવાર્ટરમાં હળવા મૂડમાં
આ નેતાઓને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન
ગાંધીનગરમાં રાજ ભવન ખાતે આજે 1.30 કલાકે ધારાસભ્યો મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરનાર છે ત્યારે શપથ સમારોહમાં નવા 27 જેટલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવી શકે છે જે નિર્વિવાદિત હોય તેવા ધારાસભ્યને મંત્રી તરીકે સ્થાન મળી શકે છે.
શપથવિધીના 2 કલાક પહેલા ફોન કરવામાં આવશે
આજે ગુજરાતના નવા મંત્રીમંડળની રચના થનાર છે ત્યારે મંત્રીમંડળનો શપથવિધીના 2 કલાક પહેલા ફોન કરવામાં આવશે જે મંત્રીઓ શપથ લેનાર છે તેમને ફોન કરવામાં આવશે ભાજપ વિવાદો વચ્ચે હાલ ધારાસભ્યોને કોલ કરવાનું ટાળવામાં આવ્યું છે, શપથવિધીના બે કલાક પહેલા ઝોન મુજબ ધારાસભ્યોને ફોન કરવાની જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલ, સી.આર.પાટીલને સોંપવામાં આવી છે કટેલાક ધારાસભ્યો રાત્રિથી જ ફોન આવવાની રાહ જોઈ રહ્યા છે.
ભાજપના ધારાસભ્યો MLA કવાર્ટરમાં હળવા મૂડમાં
મહત્વનું છે કે આજે શપથ સમારોહ યોજાનાર છે ત્યારે ભાજપના ધારાસભ્યો MLA કવાર્ટરમાં હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે તો બીજી તરફ મોવડીમંડળના નિર્ણયને પગલે ધારાસભ્યો પણ ભીંસમાં આવી ગયા છે. સતત ત્રણ દિવસથી ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા છે તેમજ ધારાસભ્યોએ હાલ પોતાના મતવિસ્તારનો પ્રવાસ અટકાવી દીધો છે તો તમામ ધારાસભ્યો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે તેવામાં ધારાસભ્ય કેશુ નાકરાણી અને પિયુષ દેસાઈનું નિવેદન આપતા જણાવ્યું કે પક્ષમાં કોઈ આંતરિક કકળાટ નથી અને પક્ષ જે જવાબદારી સોંપે તે નિભાવીશું મહત્વનું છે કે નવા મંત્રીઓના શપથ સમારોહ પહેલા કટેલાક મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે જેથી તેમના સમર્થકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંત્રીમંડળનો મામલો હજુ વણઉકેલાયો
અહી ઉલ્લાખનિય છે કે ગુજરાતના મંત્રીમંડળનો મામલો હજુ વણઉકેલાયો જોવા મળી રહ્યો છે સમગ્ર મામલો હાઈકમાન્ડ સમક્ષ હજુ પેન્ડિંગ હોવાનું મનાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી અને અમિત શાહ કરશે જ્યારે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાઈકમાન્ડના સતત સંપર્કમાં હોવાનું પણ મનાઈ રહ્યું છે. ગુજરાત ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલમાં ભાજપ દ્વારા કેવા પ્રકારની નીતિ અપનાવવામાં આવશે તેના પર સૌનું ધ્યાન મંડાઈ રહ્યું છે.
આ નેતાઓને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન
નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી કોણ તેની અટકળો તેજ થઈ ગઈ છે ભાવનગરમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને તક મળી શકે છે તો કચ્છમાંથી નીમાબેન આચાર્યની પસંદગી થઈ શકે છે આ તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાને પણ સ્થાન મળી શકે છે તો રાજકોટમાંથી ગોવિંદ પટેલ કે અરવિંદ રૈયાણી કોઈ એકને તક મળી શકે છે તેમજ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને પણ તક મળી શકે છે.આમ ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા, દેવા માલમ, જીતુ વાઘાણી, નિમાબેન આચાર્ય સહિત અનેક નામો પર મહોર વાગી શકે છે.
કેટલાક મંત્રીઓના પત્તા કપાઈ શકે
રાજ ભવન ખાતે આજે મંત્રીઓનો શપથ સમારોહ યોજાનાર છે ત્યારે કેટલાક નેતાઓના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના બે નેતાઓના સમર્થકો નારાજ છે જેમાં કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાના સ્થાનને લઈને અસમંજસ જેવી સ્થિતિ સર્જાઈ છે કેમજ કે જો ભાજપ દ્વારા નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવે તો આ બંને મંત્રીઓના પત્તા કપાઈ શકે છે.
નેતાઓના સમર્થકોમાં નારાજી અને વિરોધ
આ ધારાસભ્યોનું મંત્રીઓનું મંત્રી પદ જશે તેવાં સંકેત મળતા જ નેતાઓના સમર્થકોમાં નારાજી અને વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાવવા માટે તેમના સમર્થકો તેમજ કોળી સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે. આ તરફ મંત્રી જવાહર ચાવડાના સમાજના લોકો પણ સોશિયલ મીડિયા ગૃપમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.