ટેલિવિઝન કાર્યક્રમમાં મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી કરવાના કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે અને તેમની તપાસ પુરી ન થાય ત્યા સુધી તેમને ટીમ ઈન્ડિયામાં સામેલ ન કરવાનો નિર્ણય લેવાયો છે.
હાલ આ બંને ક્રિકેટરોએ કોઈ પણ શરત વગર માફી માગી છે. ત્યારે આ નિવેદન બાદ પ્રશાસકોની સમીતીના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે બીસીસીઆઈએ બંને ખેલાડીઓનું કેરિયર ખતમ કર્યા કરતા તે લોકોના જીવનમાં સુધાર આવે તે માટે પ્રયાસ કરવાની વાત કરી છે.
આ લોકોની તપાસ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. જોકે ડાયના ઈડુલ્લી ઈચ્છી રહ્યા છે કે આ કેસની તપાસ બીસીસીઆઈના અધિકારી અને સીઈઓ રાય પોતે કરે. જો કે હવે બંને જણાએ વગર શરતે માફી માગતા તેમને બચાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કરણ જોહર પોતાના શોમાં ખેલાડીઓને તેમના અંગત જીવન પર કેટલાક સવાલો કર્યા હતા. આ દરમિયાના હાર્દિક પંડ્યાએ પોતાના રિલશનશિપ ડેટિંગ અને મહિલાઓ વિશે જવાબ આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. પંડ્યાએ જણાવ્યુ કે ''જ્યારે મેં પહેલી વખત મારી વર્જિનિટી ગુમાવી ત્યારે મેં મારા ઘરે મારા પેરેન્ટ્સ ઓપન માઇન્ડેડ છે તો મેં ઘરે જઇને કહ્યુ કે આજે તો હું કરીને આવ્યો છું.''
આ સિવાય પંડ્યાએ એક કિસ્સો યાદ કરતા કહ્યુ કે ''એક વખત તે તેના માતા-પિતા સાથે પાર્ટીમાં ગયો હતો અને જ્યારે માતા-પિતાએ જણાવ્યુ કે કઇ મહિલાને તે જોઇ રહ્યો છે? તો તેણે કહ્યુ અહીંયા આવેલી તમામ મહિલાઓને જાણું છું.''