EWS 10 ટકા આરક્ષણ રજૂ કરતા 103મા બંધારણીય સુધારા બાબતે સુપ્રીમ કોર્ટ 7 નવેમ્બરે ચુકાદો સંભળાવશે; જાન્યુઆરી 2019માં લાગુ કરવામાં આવ્યો હતો
EWS મુદ્દે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવી શકે
સુપ્રીમ કોર્ટ 7 નવેમ્બરે સવારે 10.30 વાગ્યે ચુકાદો આપી શકે
જાન્યુઆરી 2019માં લાગુ કરવામાં આવ્યો હતો EWS
103મા બંધારણીય સુધારા હેઠળ જાન્યુઆરી 2019માં EWS કોટા લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. શિક્ષણ અને જાહેર રોજગારમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા આરક્ષણ રજૂ કરતા 103મા બંધારણીય સુધારા બાબતે સુપ્રીમ કોર્ટ સોમવારને 7 નવેમ્બરે તેનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગયા મહિને 103મા બંધારણીય સુધારાને પડકારતી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો.
સવારે 10.30 વાગ્યે આવશે ચુકાદો
પાપ્ત માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટ સોમવારે સવારે 10.30 વાગ્યે 10% EWSના કાયદાની માન્યતા પર પોતાનો ચુકાદો આપશે. CJI ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ બે અલગ-અલગ ચુકાદા આપશે.
7 નવેમ્બરે ચુકાદો આવી શકે છે
આ કેસની સુનાવણી ભારતના ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી પાંચ જજોની બેંચ દ્વારા કરવામાં આવી હતી . ચીફ જસ્ટિસ યુયુ લલિત 8 નવેમ્બર 2022ના રોજ નિવૃત્ત થવાના છે. આવી સ્થિતિમાં આ મામલે ચુકાદો 7 નવેમ્બરે જ આવી શકે છે.
જાન્યુઆરી 2019માં લાગુ કરવામાં આવ્યો હતો
103મા બંધારણીય સુધારા હેઠળ જાન્યુઆરી 2019માં EWS લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એસસી, એસટી અને ઓબીસીમાં પણ ગરીબ લોકો છે તો પછી આ અનામત સામાન્ય વર્ગના લોકોને જ કેમ આપવામાં આવે છે. આ 50 ટકા અનામતના નિયમનું ઉલ્લંઘન કરે છે. પહેલાથી જ OBC માટે 27 ટકા, SC માટે 15 ટકા અને ST માટે 7.5 ટકા કોટા નક્કી કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, 10 ટકાનો EWS ક્વોટા 50 ટકાના નિયમને ભંગ કરે છે.