સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો પર કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે માર્ગદર્શિકાના અભાવ અને SOP ના અપૂરતા અમલીકરણને કારણે આ વાયરસ હવે જંગલની આગની જેમ ફેલાવા લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને પણ કોરોના અંગે સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સાથે સતર્કતા અને સદભાવના સાથે કામ કરવું જોઈએ. નાગરિકોની સલામતી અને સ્વાસ્થ્ય તેમની પ્રથમ અગ્રતા હોવી જોઈએ.
કોરોના સંક્રમણને લઈને સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ
રાજ્ય સરકારોને કેન્દ્રની સાથે મળીને કામ કરવાની આપી શીખામણ
લોકડાઉન જેવા પગલાઓની વહેલા જાણકારી આપવી જોઈએ : કોર્ટ
સુપ્રીમ કોર્ટ એ કહ્યું કે રાજ્યોએ નિર્ધારિત સમયના થોડા દિવસો પહેલા લોકોને કર્ફ્યુ અને લોકડાઉનની જાણકારી આપવી જોઈએ, જેથી લોકો તેમના આજીવિકાની વ્યવસ્થા કરી શકે. કોર્ટે કહ્યું કે વિશ્વના દરેક વ્યક્તિને કોઈક કે કોઈક રીતે આ ખતરનાક રોગની અસર થઈ છે, તેથી પરસ્પર સહયોગ દ્વારા તેની સામે લડવાની જરૂર છે.
COVID-19 pandemic has spread like “wild fire” due to lack of implementation of guidelines and SoPs: SC
સુપ્રીમ કોર્ટ એ વધુમાં કહ્યું કે, કોરોનાની સારવાર કરતી હોસ્પિટલો, જેમણે ફાયર વિભાગની NOC લીધી નથી, તેઓને ચાર અઠવાડિયામાં તાત્કાલિક NOC લેવી જોઇએ. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે રાજ્ય સરકાર ચાર અઠવાડિયામાં NOC ચલાવે નહીં તો હોસ્પિટલો સામે કાર્યવાહી કરે.
નોડલ ઓફિસર તરીકે રાજ્યોની નિમણૂક કરવા સૂચના
કોર્ટે કહ્યું કે દરેક રાજ્યએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે, જે રાજ્યને રિપોર્ટ સોંપશે. કોર્ટે તમામ રાજ્યોને કોરોના માટે કામ કરતી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઑડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યોએ તમામ SOP અને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.