સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત સરકારની એ નોટિફિકેશન પર રોક લગાવી કે જેમાં કહેવાયું હતું કે જે દવાખાના પાસે બિલ્ડિંગનો ઉપયોગ કરવાની પરવાનગી નથી તેના પર કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે. સુપ્રીમકોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકારે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન આપ્યું નથી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમકોર્ટે ગુજરાતના દવાખાનાઓમાં આગની ઘટનાઓને લઇને રાજ્ય સરકાર પર નારાજગી દર્શાવી હતી.
આગની ઘટનાઓ પર નારાજ સુપ્રીમકોર્ટ
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાકાળમા અનેક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. કોરોના પીક પર હોવાથી સ્થિતિને જોતાં એવી હોસ્પિટલનોને પરવાનગી આપી દીધી હતી કે જેણે પાસે ફાયર સુવિધાઓનો અભાવ હતો, પૂરતા સ્ટ્રક્ચરની ઉણપ હતી, જે મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કહ્યું કે હૉસ્પિટલોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ માનવીય દુર્ઘટનાઓ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી પરિસ્થિતિ ન હોઈ શકે કે હોસ્પિટલો નાની ઇમારતોમાં ચાલવા માંડે, ગમે તે માળખા ઊભા કરી હોસ્પિટલ બનાવી લોકોના જીવ જોખમમાં નાખવાં આવે, જ્યાં નિયમોનું પાલન જ ન થાય. આગની ઘટનાઓ પર નારાજગી દર્શાવતા સુપ્રીમકોર્ટે કહ્યું કે રાજ્યોના સ્ટેડિયમ કે બીજા કોઇ સ્થળોમાં કોવિડ-કેર સેન્ટર શરૂ કરવા જોઇએ. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેંચે આ મુદે સુનાવણી કરી હતી
જસ્ટિસ ચંદ્રચૂડે કર્યા વેધક સવાલ
સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે ,' અમને મહામારીથી બચાવવાની જગ્યાએ આગથી લોકોને મારી રહ્યા છે. BUની અનુમતીથી જો 2 રૂમની જગ્યાને દવાખાનામાં બદલવામાં આવે, તો તમારે પરવાનગી લેવી પડશે.' જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું કે અમે બધું જ ન કરી શકીએ, પરંતુ જે અમારી પહોંચમાં છે, તે આપણે કરવું જોઇએ. તેમણે ટીપ્પણી કરી કે યોજના અધિકારીઓની વચ્ચે એક માફિયા લીંક છે જેનાથી આપણાં નાગરિકો પીડાય છે. જો અમે તેની પરવાનગી આપીશું તો તેનો અર્થ થશે કે અમે મિલીભગતથી કામ કરી રહ્યા છીએ.તેમણે વધુમાં કહ્યું કે' આપણે માત્ર ડેવેલોપર્સ અને ઉલ્લંઘનકારીઓને કાયદાઓનું સતત પાલન કરવાને બદલે છૂટ આપી રહ્યાં છીએ. આપણી પહેલી ચિંતા એ છે કે આ કોર્ટ હાઇકોર્ટના સારી રીતે વિચારાયેલા નિર્ણયોમાં દખલ નથી કરી રહી. છૂટ અને સ્ટે આપીને આપણે એવું કરી રહ્યાં છીએ કે જેનાથી આપણે કોઈ ષડયંત્ર કરી રહ્યા છીએ. આપણે ભારતીય સમાજમાં બધી બીમારીઓનો ઇલાજ ન કરી શકીએ પણ આપણે એ કરવું જોઇએ કે જે આપણને એક ન્યાયાધીશ તરીકે કાનૂનના શાસનને જાળવી રાખવા માટે કરી શકીએ છીએ.
બેચના બીજા જજ જસ્ટિસ શાહે કહ્યું કે,હોસ્પિટલો રોકાણનું અખાડો બની ગઈ છે. તેમણે કહ્યું, 'જો આપણે ICMRના માર્ગદર્શિકા હેઠળ જોશું, તો ICU ધરાવતી 80 ટકા હોસ્પિટલો બંધ થઈ જશે.' આનો જવાબ આપો.