શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતમાંથી કાવડિયાઓ કાવડયાત્રા માટે નીકળી પડ્યા છે. પરંતુ બીજી તરફ કાવડયાત્રા દરમિયાન કાવડિયાઓ દ્વારા મારપીટના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે.
ત્યારે સુપ્રીમ કોર્ટે કાવડિયાઓ પર લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટ કાવડિયાઓની ગુંડાગર્દીથી નારાજ થઈ છે. સુપ્રીમ કોર્ટે કાવડિયાઓ પર કાર્યવાહી કરવા માટે પોલીસને પણ આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કાવડિયાઓને તોડફોડનો કોઈ અધિકાર નથી અને મંજૂરી પણ નથી. જેથી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કાવડયાત્રા માટે નીકળેલા કેટલાંક કાવડિયાઓ દ્વારા દિલ્લીના મોતીનગરમાં એક કારચાલક પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ કારની તોડફોડ કરીને કાર પણ ઉથલાવી પાડી હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ કાવડિયાઓની દાદાગીરી સામે આવી હતી અને પોલીસવાન પર પણ હુમલો કર્યો હતો.