દિલ્હીની સરહદો પર ખેડૂતો છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રદર્શન કરી રહ્યા છે જે મામલે સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ઝાટકતા કહ્યું કે બહાના બનાવાનું છોડો કાયદાનું પાલન કરાવું તમારી ફરજ છે.
સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને બરાબરની ઝાટકી
દિલ્હીની સરહદો પરથી ખેડૂતો ન હટતા સરકારની ઝાટકણી
સરકાર હવે ટૂંક સમયમાં આવેદન દાખલ કરશે
દિલ્હીની સરહદો પર ખેડૂતો જે પ્રદર્શન કરી રહ્યા છે. તેને લઈને સુપ્રિમ કોર્ટે કેન્દ્રને બરોબરની ઝાટકી છે. સમગ્ર મામલે કોર્ટમાં અરજી દાખલ થઈ હતી જે મામલે આજે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે કાયદાનું પાલન કરાવું તમારી ફરજ છે. સાથેજ સુપ્રિમ કોર્ટે કહ્યું ખેડૂતોને બોર્ડર પરથી હટાવવા માટે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ.
સમસ્યાના સમાધાન વીશે સુપ્રિમે કેન્દ્રને કર્યા સવાલ
સાર્વજનિક જગ્યાઓ પર ધરણા પ્રદર્શનને લઈને કોર્ટ દ્વારા અગાઉથી અમુક મહત્વના આદેશ આપવામાં આવ્યા છે. જે મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું કે સરકાર અમને એવું ન કહે કે અમે આ નહી કરી શકીએ. સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્રને એવું પણ પુછ્યું કે આ સમસ્યાને લઈને સમાધાન શું છે ?
રસ્તાઓ જામ થતા કોર્ટમાં અરજી થઈ હતી
સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ઝાટકતા કહ્યું કે જે રીતે હાઈવે અને રસ્તાઓ જામ થઈ રહ્યા છે. તે વસ્તુ ન થવી જોઈએ. આપને જણાવી દઈ કે કૃષિ કાયદાના વિરોધને લઈને મોઈડા અને દિલ્હી વચ્ચેના રસ્તાઓ ખેડૂતોએ જામ કરી નખ્યા હતા. જે મામલે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી.
સરકારે આવેદન આપવા કહ્યું
સમગ્ર મામલે કેન્દ્ર સરકારના સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું કે તેમણે સદસ્ય કમિટિ બનાવી હતી. જ્યા તેમણે ખેડૂત નેતાઓને બાલોવીને અન્ય સ્થળે ધરણા આપવા કહ્યું હતું. પરંતુ તેમણે અન્ય જગ્યાએ જવાની ના પાડી . ત્યારે સુપ્રિમ કોર્ટે કહ્યું કે તમે આ મામલે આવેદન કોર્ટને કેમ ન આપ્યું. જેના જવાબમાં સોલિસીટરે કહ્યું કે અમે હમે હવે આવેદન આપીશું.
કિસાન સંઘને આવેદનમાં પક્ષકાર તરીકે શામેલ કરાશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તેમના આવેદનમાં કિસાન સંઘને પણ પક્ષકાર તરીકે શામેલ કરશે. સાથેજ સુપ્રિમ કોર્ટ ખેડૂત નેતાઓ સાથે એ પણ જાણવા માગે થે કે તેઓ દિલ્હી અને એનસીઆર સિવાય અન્ય કોઈ પણ સ્થળે શા માટે પ્રદર્શન નથી કરી રહ્યા. સમગ્ર મામલે હવે કેન્દ્ર સરકાર દ્વારા આવેદન આપ્યા પછી આવતા સોમવારે ફરી સુનાવણી કરવામાં આવશે.