ખેડૂતોની ગણતંત્ર દિવસ પર થનારી ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલુ છે. આ દરમિયાન કોર્ટે એકવાર ફરી વાગોળ્યું તે રેલીને લઈને નિર્ણય દિલ્હી પોલીસ કરશે. ન્યાયાલયે કેન્દ્ર સરકારની ટ્રેક્ટર રેલીને લઈને અરજી પાછી લેવાને લઈને પુછ્યું. એ બાદ કેન્દ્ર સરકારે અરજી પાછી લઈ લીધી છે.
આ નિર્ણય કરવાનો પહેલો અધિકાર પોલીસનો છે
દિલ્હીમાં પ્રવેશનો મામલો કાયદાની વ્યવસ્થા સાથે જોડાયેલો છે- સીજેઆઈ
ટ્રેક્ટર રેલીના વિરોધમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે
દિલ્હીમાં પ્રવેશનો મામલો કાયદાની વ્યવસ્થા સાથે જોડાયેલો છે- સીજેઆઈ
ચીફ જસ્ટીશ એસ એ બોબડેએ કહ્યું કે દિલ્હીમાં પ્રવેશનો મામલો કાયદાની વ્યવસ્થા સાથે જોડાયેલો છે અને પોલીસ આના પર નિર્ણય કરશે. ટ્રેક્ટર રેલી હશે કે નહીં તે પોલીસે નક્કી કરવાનું રહેશે. અમે આદેશ ન કરી શકીએ. આ નિર્ણય લેવાનો અધિકાર દિલ્હી પોલીસની પાસે છે.
ટ્રેક્ટર રેલીના વિરોધમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો છેલ્લા 56 દિવસથી સતત કડકડતી ઠંડીમાં દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ આ ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની તૈયારીમાં છે. ગણતંત્ર દિવસના પ્રસંગે ખેડૂતોની થનારી ટ્રેક્ટર રેલીના વિરોધમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આ નિર્ણય કરવાનો પહેલો અધિકાર પોલીસનો છે
આ અરજી પર સોમવારે થયેલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે 26 જાન્યુઆરીએ ખેડૂતોની થનારી ટ્રેકટર રેલી કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે અને આ નિર્ણય કરવાનો પહેલો અધિકાર પોલીસનો છે કે રાજધાનીમાં કોને પ્રવેશવાની પરવાનગી આપવી જોઈએ અને કોને નહીં.