છેલ્લા ઘણા સમયથી ચેક બાઉન્સ કેસની પેન્ડિંગ સંખ્યામાં વધારો થતા સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય, ચેક બાઉન્સ અંગેના કેસો માટે ચલાવાશે વિશેષ અદાલત
ચેક બાઉન્સ થશે તો થશે ત્વરિત કાર્યવાહી
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્દેશ
વિશેષ અદાલતની કરવામાં આવશે રચના
ચેક બાઉન્સ થવા પર અદાલત તરફથી પહેલેથી જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ જો હવે તમારુ કે તમારા સબંધીનું કે મિત્રનો ચેક બાઉન્સ થાય તો ખેર નહી.હવે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ માટે 1 સપ્ટેમ્બરથી પાંચ રાજ્યોમાં નિવૃત્ત ન્યાયાધીશો સાથે વિશેષ અદાલતોની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવશે
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પેન્ડિંગ કેસોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વિશેષ અદાલતોની રચના કરવામાં આવશે.
1 સપ્ટેમ્બર 2022 બાદ શરુ થશે સ્પેશિયલ કોર્ટ
બેંચનું એમ પણ કહેવુ છે કે અમે પાયલટ અદાલતોની રચના અંગે ન્યાય મિત્રના સૂચનો સામેલ કર્યા છે. આ માટે સમયસીમા પણ આપવામાં આવી છે. 1લી સપ્ટેમ્બર 2022 પછી શરુ થવાની છે. બેંચે કહ્યું કે અદાલતના મહાસચિવ એ નક્કી કરશે કે હાલનો આદેશની નકલ સીધી આ પાંચ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મળે, જો તેને તત્કાલ કાર્યવાહી કરવા માટે મુખ્ય અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકે છે.
એફિડેવિટ 21મી જુલાઈ 2022 સુધીમાં દાખલ કરવાની રહેશે
સુપ્રીમ કોર્ટે તેના જનરલ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે તેઓ આ રાજ્યોની હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ આદેશ વિશે જાણ કરે. આ સાથે, તેમને આ આદેશના પાલન પર 21 જુલાઈ 2022 સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ન્યાયમિત્રએ સૂચવ્યુ કે એક પાયલટ પરિયોજના તરીકે દરેક જિલ્લામાં એક રિટાયર્ડ જજ ધરાવતી કોર્ટ હોવી જોઇએ. હવે આ મામલે સુનાવણી 28 જુલાઇએ થશે. સુપ્રીમ કોર્ટે છેલ્લા દિવસોમાં ચેક બાઉન્સના કેસો લાંબા સમયથી પેન્ડિંગ રહેવા મામલે સંજ્ઞાન લીધુ. અને આ મામલે તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. 31 ડિસેમ્બર 2019 સુધીમાં આવા કેસ 35.16 લાખ હતા.