સુપ્રીમ કોર્ટે વિદેશ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટમાં વિદેશ મંત્રી વિરુદ્ધમાં દાખલ થયેલી ત્રણ અરજીઓની સુનાવણીને લઈને આ નોટિસ મોકલવામાં આવી હતી. આ ચૂંટણીમાં એસ. જયશંકરની રાજ્યસભા ચૂંટણીને પડકારવામાં આવી છે. નોંધનીય છે કે એસ. જયશંકર જુલાઇ 2019 માં ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે એસ.જયશંકર
એસ.જયશંકરની સામે દાખલ થઈ કુલ ત્રણ અરજીઓ
સુપ્રીમ કોર્ટે વિદેશ પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટની આ નોટિસ તેમની સામે દાખલ થયેલી ત્રણ અરજીના સદર્ભે દાખલ થઈ છે અને તેમની ચૂંટણીને પડકારવામાં આવી છે.
ત્રણ અરજીઓની સુનાવણીમાં ફટકારી નોટિસ
જુલાઇ 2020 માં ચૂંટણી સામે કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વિદેશ પ્રધાન એસ જયશંકરનો જવાબ માંગ્યો છે. આ અરજીમાં ચૂંટણી માટેના મતગણતરી વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મહત્વ નું છે કે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓ સાથે મળીને સુનાવણી કરવા સંમતિ આપી હતી.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જીતતા બે બેઠકો ખાલી પડી હતી
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઈમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા લોકસભાની ચૂંટણીમાં જીતવાને કારણે ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકો ખાલી થઈ હતી જેના માટે ચૂંટણી યોજાઈ હતી. આ બંને નેતાઓ રાજ્યસભાના પહેલા સાંસદ હતા, પરંતુ બંનેએ 2019 ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી જીતી લેતા ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી થઈ હતી.
જુલાઇ 2019માં યોજાઇ હતી ચૂંટણી
ચૂંટણી પંચે ગત વર્ષે આ બેઠકો પર ચૂંટણી યોજી હતી. આ બંને બેઠકો માટેની ચૂંટણી એક જ દિવસે યોજવામાં આવી હતી પરંતુ મતદાન અલગ હતું. કોંગ્રેસે આ પ્રક્રિયાને પડકારી હતી.
બીજી અરજીમાં ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાંસદ જુગલ એમ લોખંડવાલાની ચૂંટણીને પણ પડકારવામાં આવી છે. આ કેસમાં કોંગ્રેસના પરાજિત ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમા એ અરજી કરી છે. જો કે આ અરજીઓને ગુજરાત હાઇકોર્ટે નકારી કાઢી હતી.