સુપ્રીમ કોર્ટે આજે સરકારને આંદોલનકારી નેતાઓને આ કેસમાં પક્ષકાર બનાવવા અરજી કરવા જણાવ્યું હતું, જેથી આ આદેશ પર વિચાર કરી શકાય
સુપ્રીમ કોર્ટે કેન્દ્વ સરકારની ઝાટકણી કરી
રસ્તા રોકો આંદોલનનો નિર્ણય જૂનો છે
પ્રદર્શન જેવા કાર્યક્રમો તંત્રએ નક્કી કરેલા સ્થળે થવા જોઈએ
સુપ્રીમ કોર્ટે કેન્દ્વ સરકારની ઝાટકણી કરી
ખેડૂતોના આંદોલનના કારણે બંધ થયેલા દિલ્હીના રસ્તાો ખોલવામાં નિષ્ફળતા બદલ સુપ્રીમ કોર્ટે આજે સરકારની ઝાટકણી કરી હતી. કોર્ટ કહ્યું કે, આ રીતે હાઈવે કાયમ માટે બંધ કરી શકાતો નથી. આવા કેસો માટે સ્પષ્ટ આદેશો પહેલેથી જ આપવામાં આવ્યાં છે. સરકાર તેને અમલ કરવા સક્ષમ નથી. કોર્ટે આજે સરકારને આંદોલનકારી નેતાઓને આ કેસમાં પક્ષકાર બનાવવા અરજી કરવા જણાવ્યું હતું, જેથી આદેશ પર વિચાર કરી શકાય.
રસ્તા રોકો આંદોલનનો નિર્ણય જૂનો છે
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે શાહીન બાગ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. તે નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે આંદોલનના નામે લાંબા સમય સુધી કોઈ રસ્તો રોકી શકાશે નહીં. ધરણા-પ્રદર્શન જેવા કાર્યક્રમો વહીવટીતંત્ર દ્વારા નક્કી કરેલા સ્થળે યોજવા જોઈએ. અરજદારે આ નિર્ણયને અરજીનો આધાર બનાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોર્ટે રાજ્ય સરકારોને તેનો અમલ કરવાનો આદેશ આપવો જોઈએ.
શું છે સમગ્ર મામલો ?
નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલે માર્ચમાં આ મુદ્દે અરજી કરી હતી. જેમાં તેમણે ખેડૂતોના આંદોલનના કારણે કેટલાક મહિનાઓથી દિલ્હી અને નોઈડા વચ્ચે ભારે ટ્રાફિકનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા હરિયાણા સાથે દિલ્હીની કેટલીક અન્ય સરહદોને અવરોધિત કરવાની માહિતી મેળવી હતી. જેના પર કોર્ટે હરિયાણા અને યુપીને પણ પક્ષકાર બનાવ્યા હતા. છેલ્લા છ મહિનાથી પેન્ડિંગ આ મામલામાં, કેન્દ્ર, યુપી અને હરિયાણા સરકારોએ હંમેશા એ જ જવાબ આપ્યો છે કે તેઓ આંદોલનકારીઓને સમજાવવાથી રસ્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જે કોર્ટે શું થયું ?
હરિયાણા અને કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આંદોલનકારીઓને રસ્તા પરથી ખસી જવા માટે સમજાવવાના પ્રયાસો સફળ થઈ રહ્યા નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિનંતી કરી કે કોર્ટે આંદોલનકારી નેતાઓને કેસમાં પક્ષકાર તરીકે ઉમેરવા.આ અંગે ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશની ખંડપીઠે જણાવ્યું હતું કે, આવી બાબતો પર આદેશ આપવામાં આવ્યા છે.સરકારનું કામ તેનો અમલ કરવાનું છે. તમે ઈચ્છો છો કે અમે ફરી એક જ વાતનું પુનરાવર્તન કરીએ. "આ ટિપ્પણી બાદ કોર્ટે સરકારને પક્ષ બનાવવા માટે આંદોલન સાથે જોડાયેલા નેતાઓને અરજી કરવાની મંજૂરી આપી. ઓક્ટોબરે થશે.