કોરોનાને નાથવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી પરંતુ દેશના ઘણા ક્ષેત્રોમાં વેક્સિન લીધા બાદ પણ કોરોના થવાના કેસ સામે આવી રહ્યાં છે.
કોરોનાની વેક્સિન બેકાર?
વેક્સિન લીધા બાદ પણ થયુ મૃત્યુ
રસી લીધાના 22 દિવસ પછી પોઝીટીવ
બિહારમાં આવેલી નાલંદા મેડિકલ કોલેજના ફાઇનલ યરના મેડિકલ સ્ટુડન્ટની કોરોના વેક્સિન લીધા બાદ પણ મોત થઇ ગઇ છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 23 વર્ષના શુભેંદુ સુમનની મોત થઇ ગઇ. તેણે 22 દિવસ પહેલા Covaxinનો પહેલો ડોઝ લીધો હતો, તેવી જાણકારી મળી છે. હવે તે મેડિકલ કોલેજના દરેક વિદ્યાર્થીનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શુભેંદુએ 22 દિવસ પહેલા વેક્સિન લીધી હતી. ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં વેક્સિન લીધા બાદ 25 ફેબ્રુઆરીના રોજ તે કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેને સ્થાનીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સોમવારે તેનું નિધન થઇ ગયુ હતુ.
આ હોસ્પિટલમાં અત્યાર સુધી 15 વિદ્યાર્થી પોઝીટીવ આવી ચૂક્યા છે. તેમાંથી ઘણા સ્ટુડન્ટ્સને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે, તેવું ત્યાંના લોકો જણાવી રહ્યાં છે.
મહત્વનું છે કે દેશમાં કોરોના વિરુદ્ધ 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થયુ છે. પહેલા ચરણમાં લાખો હેલ્થકેર વર્કર્સ અને ફ્રંટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી હતી. 1 માર્ચથી વેક્સિનેશનનું બીજુ ચરણ શરૂ થયુ છે. આ ચરણમાં 60થી વધારે ઉંમરના લોકો તેમજ ગંભીર બિમારીઓથી ઝઝૂમી રહેલા 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવે.