ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પ્રદેશને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે ફરી કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે
કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી ઉઠી
વધુ એક ભુકંપનો આંચકો નોંધાયો
રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ
સૌરાષ્ટ્ર-કચ્છ ભૂકંપનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. અમરેલી બાદ કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં વધુ એક ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
દૂધઈથી 28 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો
અમરેલી બાદ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. કચ્છના દૂધઈથી 28 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો છે. ભૂકંપના આચંકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં તેમજ વારંવાર આવતા ભૂકંપના આચકાને લઈ લોકો ચિંતીત બન્યા છે.
કચ્છમાં વારંવાર ધરતીકંપ કેમ આવે છે?
કરોડો વર્ષ પહેલા ભારતીય ઉપખંડ પૃથ્વીના દક્ષિણ તરફના હિસ્સા ગોંડવાનાલેન્ડનો ભાગ હતો
આશરે 44 કરોડ વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડમાં ભંગાણ પડ્યું
આ ભંગાણને કારણે ભારતીય ઉપખંડ ધીમે-ધીમે ઉત્તર તરફ ખસ્યો
ભારતીય ઉપખંડના ઉત્તર તરફ પોતાનાથી અનેકગણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો
આ ઘટના દરમિયાન હિમાલય પર્વતની રચના થઈ
પૃથ્વી જે ટેક્ટોનિક પ્લેટની બનેલી છે તેમા ભારતીય પ્લેટ ઉત્તર તરફ ખસી રહી છે
ઉત્તર તરફ તે યુરેશિયન પ્લેટ સાથે સતત ટકરાઈ રહી છે
ભારતીય પ્લેટનો હિમાલયન કોલાઈઝનનો ઘણોખરો ભાગ કચ્છમાં છે
ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત હિમાલયન કોલાઈઝન ઝોનમાં આવેલુ છે
ઈન્ડિયન પ્લેટની બાઉન્ડ્રી કચ્છમાં હોવાને કારણે પ્લેટ સતત અથડામણ અનુભવે છે
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.