ભારતમાં સૌથી વધારે હિન્દુ ધર્મના લોકો વસે છે જેના કારણે મંદિર પણ સૌથી વધારે ભારતમાં જ આવેલા છે પરંતુ ઇન્ડોનેશિયામાં આવેલા આ મંદિરને જોઇને તમે પણ વિચારતા થઇ જશો.
દરિયામાં કોરોડો વર્ષો જૂનુ મંદિર
સમુદ્રિ સાપો કરે છે મંદિરની રક્ષા
આજે પણ બાલીમાં રહેલુ છે આ મંદિર
ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અને ત્યાં આવેલું આ મંદિર ખૂબ જ ખાસ છે. આ મંદિર દરિયાકિનારે આવેલ એક પહાડ પર બનેલુ છે અને આ પહાડનું નિર્માણ હજારો વર્ષ પહેલા સમુદ્રના પાણીથી થયુ હતુ. આ અનોખા મંદિરની કહાણી પણ ખુબ રોચક છે.
આ મંદિરને તનાહ લોત મંદિરના નામે ઓળખવામાં આવે છે જે ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલુ છે. સ્થાનિય ભાષામાં તનાહ લોતનો અર્થ સમુદ્રમાં ભૂમિ એવો થાય છે. આ મંદિર સાત મંદિરોમાંથી એક છે જેને એક શ્રૃંખલાના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે.
આ મંદિર જે શીખર પર આવેલુ છે તે 1980માં કમજોર થઇને પડવા લાગ્યુ હતુ બાદમાં આ મંદિર અને તેના આસપાસના ક્ષેત્રને ખતરનાક ધોષિત કરી દેવામાં આવ્યુ હતુ.
જપાન સરકારે આ શિખરને બચાવવા માટે ઇન્ડોનેશિયા સરકારની મદદ પણ કરી હતી આ શિખરના લગભગ 1.3 ટકા હિસ્સાને કૃત્રિમ શિખરથી ઢાંકીને નવુ સ્વરૂપ આપવામાં આવ્યુ છે.
કહેવાય છે કે તનાહ લોત મંદિરનું નિર્માણ 15મી સદીમાં નિરર્થ ગામના એક પૂજારીએ કરાવ્યુ હતુ. સમુદ્ર તટ કિનારે ચાલતા તે આ જગ્યાએ પહોંચ્યા હતા અને આ જગ્યાની સુંદરતાથી મોહિત થઇ ગયા હતા. બાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. ત્યાંના માછીમારોએ સમુદ્રદેવતાનું મંદિર બનાવવા આગ્રહ કર્યો હતો.
માનવામાં આવે છે કે ખરાબ આત્માઓ અને ખરાબ લોકોથી આ મંદિરની સુરક્ષા ઝેરીલા સાપ કરે છે. કહેવામાં આવે છે કે પુજારીએ પોતાની શક્તિથી વિશાળ સમુદ્રી સાપને પેદા કર્યા હતા જે આજે પણ મંદિરની રક્ષા કરે છે.