અખિલ ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા રાજવી મ્યુઝિયમની માંગ ઉઠી છે. આ મ્યુઝિમ નર્મદાના કિનારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે બનાવવાની માંગણી કરવામાં આવી છે. PM મોદીએ અગાઉ રાજવીઓના મ્યુઝિયમની જાહેરાત કરી હતી.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા માગ
PM મોદીએ અગાઉ રાજવીઓના મ્યુઝિયમની કરી હતી જાહેરાત
રાજપીપળામાં રેલી કરી આગેવાનો આપશે આવેદન
રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા માગી કરાઈ રહી છે
નર્મદામાં રાજવીઓના મ્યુઝિયમની માગી કરવામાં આવી રહી છે. અખિલ ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા માગી કરાઈ રહી છે.
મ્યૂઝિયમ માટે રેલી કઢાશે
ઉલ્લેખનીય છે કે PM મોદીએ અગાઉ રાજવીઓના મ્યુઝિયમની જાહેરાત પણ કરી હતી. જેને પગલે સમાજના આગેવાનો રાજપીપળામાં રેલી કરી આવેદન પત્ર આપશે. જેમાં ગુજરાતભરના રાજપૂત સમાજના આગેવાનો હાજર રહેશે. હરસિધ્ધિ માતાજીના મંદિરથી જિલ્લા સેવા સદન સુધી રેલી યોજાશે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના ઈનોગ્રેશન વખતે પીએમએ વાયદો કર્યો હતો
સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી તે દિવસે પીએમએ જણાવ્યું હતુ કે આ સ્થળે રાજવીઓનું એક મ્યુઝિયમ બનશે. જેમાં તેઓના યોગદાન સહિતની હકીકતોને વર્ણવાશે. આ મ્યુઝિયમ બનશે ત્યારે સૌ પ્રથમ રાજ અર્પણ કરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા ભાવનગર અગ્રીમ હરોળમાં રહેશે.