બિહાર સરકારે 4 જાન્યુઆરી 2021 થી તમામ શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે સાથે જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ને શાળાઓની સાથે સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
બિહાર સરકારે લીધો નિર્ણય
4 જાન્યુઆરીથી શાળા, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની સાથે હોસ્ટેલ પણ ખોલી શકાશે
હાલમાં ફક્ત 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓના જ વર્ગો શરૂ થશે
બિહાર ના બાળકોએ હવે શાળા ફરી ખૂલવા અંગે રાહ જોવી પડશે નહીં. બિહાર ની નીતિશ કુમારના નેતૃત્વ વાળી NDA સરકારે શાળાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 4 જાન્યુઆરી, 2021 થી તમામ શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.
શાળાઓની સાથે કોચિંગ સંસ્થાઓને ખોલવાની પણ મંજૂરી મળી
આ વખતે સરકાર દ્વારા શાળાઓની સાથે સાથે કોચિંગ સંસ્થાનોને પણ સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારના નવા આદેશ મુજબ સિનિયર સેક્શન એટલે કે દસમા અને બારમા વર્ગ ચાલુ કરવામાં આવશે, સરકાર શાળામાં આવતા બાળકોને મફત માસ્ક પણ આપશે. સરકારે શાળાઓ સાથે છાત્રાલયો ખોલવાની સૂચના પણ આપી છે.
શાળાઓ ખોલવાના નિર્ણય સાથે રાજ્ય સરકારે બાળકોને સરકારી શાળાઓમાં વિના મૂલ્યે માસ્ક વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ફક્ત સિનિયર વિદ્યાર્થીઓના જ વિભાગનો વર્ગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 15 દિવસની સમીક્ષા બાદ જુનિયર વર્ગ ખોલવા અંગે નિર્ણય લઈ શકાય છે. મુખ્ય સચિવ દીપક કુમારે આ માહિતી આપી છે.
બિહાર સરકારે શાળાઓ ખોલવાના લીધેલા નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી અને HAM સુપ્રીમો જીતન રામ માંઝીએ એક ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. સીએમ નીતીશ કુમારે પણ શાળા ખોલવાના નિર્ણય બદલ તેમનો આભાર માન્યો છે.