રાજ્યના આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે તરૂણોને વેક્સિન લેવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે,ત્રીજી લહેરમાં રક્ષણ માટે વેક્સિન જરૂરી. 18ની વયના તરુણોએ વેક્સીન લઈને ત્રીજી લહેરથી બચે
આરોગ્યમંત્રીની તરુણોને વેક્સીન લેવા અપીલ
હાલ ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
સંભવત; ત્રીજી લહેર સામે વેક્સીનથી રક્ષણ
રાજ્યના આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે તરૂણોને વેક્સિન લેવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે,ત્રીજી લહેરમાં રક્ષણ માટે વેક્સિન જરૂરી છે. રાજ્યમાં હાલ ચાલી રહ્યું છે તરૂણોનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે, 18થી ઉપરની વયના તરુણોએ વેક્સીન પ્રકિયામાં ભાગ લઈને સંભવત; ત્રીજી લહેરથી બચવું જોઈએ.
બે એક સપ્રાતાહ અગાઉ મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
જે રીતે હાલ રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ અમરનગરની શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ શાળાને નિશ્વિત સમય માટે બંધ કરવાનો આદેશ કર્યો છે. અમરનગર શાળામાં 7 વિદ્યાર્થીઓઓ તેમજ બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.
સુરત શહેરમાં એક દિવસમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા આરોપી વિભાગ દોડતું થયું છે આ તરફ ભેસ્તાનની નગરપ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત બન્યા છે, તો બુડિયા ગામે પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.