રાજ્ય સરકરા અનાજ તેલીબીયા પછી તમામ પ્રકારના કઠોળ ટેકાના ભાવે ખરીદવા એજન્સીઓં નીયીક્ત કરી રહી છે. બીજી તરફ યાર્ડોને મળવા પાત્ર શેષ નહી ચૂકવી તંત્રની નીતિ બજાર સમિતિઓનો મૃત્યુઘંટ વગાડવાની હોય તેમ અરવલ્લી જીલ્લાના ૬ માર્કેટયાર્ડોની છેલ્લા ૩ વર્ષથી અંદાજે ૧ કરોડ રૂપિયા જેટલી બાકી શેષ ચૂકવાઈ નથી અને આવી જ સ્થતિ રહેશે તો માર્કેટયાર્ડોને તાળા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આશંકા સેવાઈ રહી છે જેથી સરકાર દ્વારા માર્કેટયાર્ડોની બાકી નીકળતી શેષ ચુકવવામાં આવે તેવી માંગ છે.
અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ટેકાના ભાવની ખરીદીની જવાબદારી અન્ય સહકારી સંસ્થાઓના માથે નખાઈ હતી. આ વર્ષે આ ખરીદીમાં રાજ્યના નાગરીક પુરવઠા નિગમ જોડાતા સરકારનું અર્ધ તંત્ર માત્ર આ ખરીદીમાં જ રોકાઈ ગયું છે છતાં ખેડૂતોને પડતી હાલાકી નિવારી શકાતી નથી પરંતુ રાજ્યસરકારની કેટલીક નીતિઓંના કારણે જીલ્લામાં માર્કેટયાર્ડની સ્થિતિ વણસી રહી છે. જીલ્લાના છ યાર્ડોને છેલ્લા ૩ વર્ષથી બાકી નીકળતા શેષના રૂપિયા ૯૮.૨૩ લાખ ચુકવતા જ નથી માત્ર શેષની આવક ઉપર નભતા માર્કેટયાર્ડોની સ્થિતિ આ સંજોગો વચ્ચે કથળી રહી છે.
અરવલ્લી જીલ્લાના છ માર્કેટયાર્ડોમાં આવક ઘટી ગઈ છે અને મોટા ભાગના પાકો સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. જેથી જીલ્લાના માર્કેટયાર્ડોમાં આવકો નહિવત થઈ ગઈ છે. જેથી માર્કેટમાં વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે અને માર્કેટયાર્ડો પડી ભાગે તેવી સ્થતિનું નિર્માણ થવા પામ્યું છે. જેથી સરકાર ધ્વારા તમામ લોકોનું હિત ધ્યાનમાં રાખી ભાવંતર યોજના લાગુ કરવામાં આવે જેથી વેપારી નાના ખેડૂતો અને માર્કેટયાર્ડોને ફાયદો થયા તેવી દિશામાં સરકારે વિચારવું જોઈએ.
અરવલ્લી જીલ્લામાં યાર્ડોની ત્રણ વર્ષથી બાકી નીકળતા ૧ કરોડ રૂપિયાની શેષ ચુકવાતા નથી. રાજ્યભરમાં આવી ૬૫ કરોડ શેષ બાકી હોવાનો અંદાજ છે. ત્યારે શેષ નહી ચૂકવી સરકાર યાર્ડોનો મૃત્યુઘંટ વગાડી રહી હોય તેવી સ્થિતિ વચ્ચે આજ સરકાર ખાનગી યાર્ડોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. ઉતર ગુજરાતમાં તો કેટલાય રાજકીય અગ્રણીઓં એ ખાનગી યાર્ડોને જ ધંધો બનાવી દીધો છે.