ગુજરાત સરકારે કુલ 6 સ્થળોએ હેલીપોર્ટ બનાવાની મંજૂરી આપી છે. જેમા અમદાવાદ, સાપુતારા અને અંબાજીમાં પણ હેલીપોર્ટ બનાવામાં આવશે અને આ પ્રોજેક્ટની જવાબદારી ગુજસેલને આપવામાં આવી છે.
રાજ્ય સરકારે 6 સ્થળો પર હેલીપોર્ટ બનાવાની મંજૂરી આપી
અમદાવાદ, સાપુતારા અને અંબાજીમાં બનશે હેલીપોર્ટ
20 કરોડના ખર્ચે બનશે 6 હેલીપોર્ટ
રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા સરકારે રાજ્યમાં 6 સ્થળો પર હેલીપોર્ટ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. હેલિપોર્ટ શરૂ કરવા માટે પ્રવાસન સ્થળ પર નક્કી કરી લેવામાં આવ્યા છે. જેથી હવે પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે હેલિકોપ્ટર સુવીધાનો પણ ઉપયોગ કરી શકશે.
હેલીપોર્ટ માટે સુવ્યવસ્થિત બિલ્ડીંગ ઉભુ કરવામાં આવશે
આપને જણાવી દીએ કે અમદાવાદ. સાપુતારા, અને અંબાજી ખાતે આ હેલીપોર્ટ શરૂ કરવામાં આવશે. જેમા ત્રણેય સ્થળોએ મુસાફરોને બેસવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે હેલીપોર્ટ માટે સુવ્યવસ્થિત બિલ્ડીંગ ઉભુ કરવામાં આવશે ત્યારબાદ સેવાની શરૂઆત કરવામાં આવશે.
6 સ્થળો પર હેલીપોર્ટ શરૂ કરવાની મંજૂરી
રૂપિયા 20 કરોડના ખર્ચે સરકાર દ્વારા કુલ 6 સ્થળો પર હેલીપોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમા આગામી એક વર્ષમાંજ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાંસોલ ખાતે આ હેલીપોર્ટ માટે જમીન નક્કી કરવામાં આવી છે.
પ્રોજેક્ટની જવાબદારી ગુજસેલને સોંપવામાં આવી
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટની જવાબદારી ગુજસેલને સોંપવામાં આવી છે. જેમા સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ, સાપુતારા અને અંબાજી ખાતે હેલિપોર્ટ શરૂ થશે. જેમા આ ત્રણેય સ્થળોએ મુસાફરોને બેસવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાતે સુવ્યવસ્થિત બિલ્ડીંગ પણ ઉભું કરવામાં આવશે.