રાજ્યના કૃષિ વિભાગે પાક નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વે પ્રમાણે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદનો મામલો
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ
કમોસમી વરસાદના કારણે નુકસાન ન થયું હોવો રિપોર્ટમાં ઉલ્લેખ
ગુજરાતના અન્નદાતાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારના કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ જવાબદાર ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો
રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું નથી. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુકસાન ન થયું હોવાના કારણે વળતરની ચૂકવણી કરવામાં આવશે નહીં.કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે હવે ખેડૂતોને કોઈ પ્રકારનું વળતર ચુકવણી નહીં થાય.
ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે શું કહ્યું?
નુકસાન નથી થયું આ કેવી રીતે માની લેવુંઃ પાલ આંબલિયા
આ મામલે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, એક ખેડૂત તરીકે મને એટલી ખબર પડે છે, અત્યારે ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કર્યું છે, જો જીરામાં જરાક ઝાકળ પડે તો પણ જીરું ખતમ થઈ જાય છે. આતો ઝાકળની જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. સરકારનો સર્વે એમ કહે છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન નથી થયું તો આ કેવી રીતે માની લેવું?
50 તાલુકાઓમાં માવઠા બાદ સર્વેનો અપાયો હતો આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન ગુજરાતના 14 જિલ્લાના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતાને પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વેનો આદેશ આપ્યો હતો.