નટરાજન આઇપીએલની 14મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 2 મેચ રમવા મેદાનમાં ઉતર્યા હતા પરંતુ ગોઠણમાં તકલીફ પડતા તે ટુર્નામેન્ટથી બહાર થઇ ગયા હતા.
નટરાજને પોતાની સર્જરી બાદ સોશ્યલ મિડીયા પર બીસીસીઆઇ, મેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ અને નર્સનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, આજે મારા ગોઠણની સર્જરી થઇ છે અને હું બીસીસીઆઇ, ડૉક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માનુ છુ. સાથે જ હું તે બધા લોકોનો આભાર માનુ છુ જેમણે મારી સફળ સર્જરીની કામના કરી હતી.
સર્જરી બાદ નટરાજનને ક્રિકેટ મેદાન પર આવતા સમય લાગશે કારણકે તેમની સર્જરી મોટી છે અને તે દમદાર કમબેક કરશે.
નટરાજને ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ કે 22 ગજની પિચ પર વાપસી માટે થોડા હર્ડલ આવી ગયા છે. વાપસી માટે હું ઉત્સુક છુ. હું પહેલા કરતા વધારે ફીટ થઇને અને મજબૂતી સાથે પરત ફરીશ. તમારા સમર્થન, આશીર્વાદ અને શુભકામનાઓ માટે થેન્ક્યુ.
તે સિવાય બીસીસીઆઇએ નટરાજનને જલ્દી સાજા થવા માટે શુભકામનાઓ આપી હતી. અમે ફરી એકવાર તમને ક્રિકેટ મેદાન પર જોવા માંગીએ છીએ.