જૂનાગઢ જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગિરનાર પર્વતમાળા પરથી ઝરણાં વહેતા થયા હતા. તો કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેમ સમગ્ર પંથકમાં લીલોતરી પથરાઈ ગઈ છે. તો ખળખળ વહેતા ઝરણાં. અને પહાડો પરથી વહેતા ઝરણાં જોવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ગીરનારના જંગલમાં પણ લીલોતરી ખીલી ઉઠી હતી. તો જંગલમાંથી વહેતા પાણી અને બીજી તરફ વિલિંગડન ડેમમાં પણ પાણીની આવક થતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો ભવનાથની તળેટીમાં પણ પાણી વહેતું થયું હતું. તો વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તો પણ ગીરનાર પર ચઢી રહ્યા છે..અને પગથિયા પરથી પણ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે વાતાવરણ આહલાદક થયું છે. તો સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અને પાકને પણ નવજીવન મળ્યું છે.