અમદાવાદ શહેરનાં કેશવબાગ વિસ્તારની એક સોસાયટીનાં રહીશો સાથે એવું કંઈક બન્યું કે તેમનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે તેઓએ તપાસ કરી તો તેમને ખ્યાલ આવ્યો કે તેમનાં પૂર્વ ચેરમેન તથા સેક્રેટરીએ મળીને તેમની સાથે આ કૃત્ય કર્યું છે. જેને પગલે રહીશોએ તે બન્નેની સામે ફરિયાદ નોંધાવી છે.
આનંદ વિહાર સોસાયટી રિડેવલોપમેન્ટમાં નખાઈ
સોસાયટીના લોકોએ કરી ફરિયાદ કે, તેમની જાણ બહાર સહી કરાવાઈ હતી
પૂર્વ ચેરમેન અને સેક્રેટરીએ મળીને છેતરપિંડી કર્યાનો આક્ષેપ
સોસાયટીનાં રહીશો સાથે થયું કંઈક આવું
અમદાવાદના કેશવબાગ ચાર રસ્તા પાસે આવાલી આનંદ વિહાર સોસાયટી વિવાદમાં સપડાઈ છે. આનંદ વિહાર સોસાયટીમાં રહેતાં પૂર્વ ચેરમેન સંજય સેહેલત અને સેક્રેટરી પીયુસ પટેલે સોસાયટી સભ્યો સાથએ છેતરપિંડી આચરી અને સોસાયટીને રિડેવલપમેન્ટમાં નાખી દીધી છે.
સોસાયટીનાં રહીશો સાથે આ રીતે થઈ હતી છેતરપિંડી
આનંદ વિહાર સોસાયટીના પૂર્વ ચેરમેન સંજય સેહેલત અને સેક્રેટરી પીયૂસ પટેલ દ્વારા સોસાયટીના સભ્યોની અન્ય કોઇ કામ છે તેવું કહીં સહી કરાવી લીધી હતી. અને તે સહીને હાઉસિંગ બોર્ડનાં રિડેવલપમેન્ટનાં દસ્તાવેજ પાસે જોડી દીધી હતી.
આ રીતે રહીશોને ખબર પડી
જ્યારે હાઉસિંગ બોર્ડે જાહેરાત કરી ત્યારે રહીશોને તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ. આ મામલે જ્યારે સોસાયટીનાં સભ્યોએ હાઉસિંગ બોર્ડમાં તપાસ કરતાં પૂર્વ ચેરમેન અને સેક્રેટરીએ ખોટી સહી કરી અને સોસાયટીને રિડેવલપમેન્ટમાં નાંખી હોવાનું સામે આવ્યું હતું. હાલ સોસાયટીનાં સભ્યોએ પૂર્વ ચેરમેન સંજય સેહેલત અને પૂર્વ સેક્રેટરી પીયૂસ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં આજે સોસાયટીનાં તમામ સભ્યો ભેગા મળીને હલ્લાબોલ કર્યો હતો.