ધ સ્કાઇ ઇઝ પિંકનું ટ્રેલર આવ્યા બાદ ઝાયરાના કથિત વલણને લઇને સોશ્યલ મીડિયા પર હેટ રિએક્શન સામે આવી રહ્યા છે. ઝાયરાનું સ્થાન અને એની ધાર્મિક ઓળખને ટાર્ગેટ બનાવીને લોકો પર્સનલ ટ્વિટ કરી રહ્યા છે. જો કે તમામ લોકો આ પ્રકારના ટ્વિટની ટીકા પણ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું ટ્રેલર 10 સપ્ટેમ્બરે રિલીઝ થઇ ગયું છે. લાંબા સમય બાદ પ્રિયંકા ચોપડાની બોલીવુડમાં વાપસી ફેન્સ માટે જોરદાર ટ્રીટ છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર, રોહિત શરકફ લીડ રોલમાં છે. પરંતુ ફિલ્મમાં જોવા મલી રહેલી ઝાયરા વસીમને જોઇને ફેન્સ ખુશ થવાની જગ્યાએ ખૂબ નારાજ નજરે આવી રહી છે.
વાસ્તવમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ધર્મને આધાર બનાવીને ફિલ્મોથી દૂર રહેવાની જાહેરાત કરી ચુકેલી ઝાયરા વસીમ ટોરંટોમાં ધ સ્કાઇ ઇઝ પિંકના પ્રીમિયરમાં સામેલ થઇ શકે છે. જો કે હજુ સુધી એવી માહિતી મળી નથી. પરંતુ ટ્રેલર આવ્યા બાદ ઝાયરા વસીમના કથિત વલણને લઇને સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે.
ઝાયરાનું સ્થાન અને એની ધાર્મિક ઓળખને ટાર્ગેટ કરીને પર્સનલ ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જો કે તમામ લોકો આ પ્રકારના ટ્વિટની ટીકા પણ કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું, 'આ એ જ ઝાયરા વસીમ છે જે અલ્લાહના નામ પર ફિલ્મોથી દૂર જવાની વાત કરી રહી હતી. હવે એ પરત આવી છે. આ બધું શું પબ્લિસિટી સ્ટંટ હતું, હવે ક્યાં ગયો ઝાયરા વસીમનો ઇસ્લામ.'
That is same @ZairaWasimmm who once said that #Allah doesn't allow me to be in the films. Now she is back in this film.
Isn't that was a publicity stunt ?
તો બીજા એક યૂઝરે લખ્યું ઝાયરાએ ફિલ્મોથી દૂર રહેવા ડ્રામા કર્યો હતો. એને ચીપ અટેન્શન પણ કહ્યું.
#ZairaWasim is the same actress who created a drama of leaving bollywood saying "It has disturbed my relationship with Allah!"
What an opportunist! Cheap attention seeking stunt, hogging the limelight. https://t.co/GkMI8FJd9v
એક યૂઝરે લખ્યું, 'ઝાયરા વસીમ હવે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા મા
ટૂર પર જઇ રહી છે. મેં તો સાંભળ્યું હતું બોલીવુડ છોડી રહી છે કારણ કે એનો વિશ્વાસ કરવા જેવો નથી.'
ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પ્રિયંકા ચોપડાએ 'ધ સ્કાઇ ઇઝ પિંક' ના શૂટિંગ દરમિયાન એક ફોટો શેર કર્યો હતો. જેમા તમામ લોકો બીચ પર હતા. એવામાં ઝાયરા પોતાના બીચ અને એના જૂના ફોટાને લઇને ટ્રોલ થઇ હતી.
જણાવી દઇએ કે થોડાક સપ્તાહ પહેલા જ ઝાયરાએ એક સોશ્યલ પોસ્ટમાં બોલીવુડ છોડવાની જાહેરાત કરતાં લોકોને હેરાન કરી દીધા હતા. ઝાયરા વસીમે લખ્યું હતું કે, '5 વર્ષ પહેલા મે એક એવો નિર્ણય લીધો, જેને મારી લાઇફ હંમેશા માટે બદલી નાંખી. મે જેવી બોલીવુડમાં એન્ટ્રી મારી, મારા માટે ફેમસ થવાના ઘણા રસ્તા ખુલી ગયા. મને લોકોનું અટેન્શન મળવા લાગ્યું. ઘણી વખત મને યુવાઓનો રોલ મૉડલ પણ માનવામાં આવી. જો કે મારી ઇચ્છા હતી એ આ બધું નહતું. ખાસ કરીને સક્સેસ અને ફેલિયરને લઇને.'
એક્ટ્રેસ લખ્યું હતું કે, 'આજે મને બોલીવુડમાં 5 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. હું એવુ જણાવવા ઇચ્છું છું કે હું મારી આ ઓળખ અને જે કામ કરી રહી છું હું એનાથી ખુશ નથી. લાંબા સમય બાદ મને એવું લાગી રહ્યું છે કે હું બીજી વ્યક્તિ બનવામાં લાગેલી છું. મને આ વાતનો અહેસાસ થઇ ચુક્યો છે કે જે ચીજોને હું સમય આપી રહી છું, જેના માટે હું મહેનત કરી રહી છું અને નવી લાઇફસ્ટાઇલ અપનાવવાનો પ્રયત્ન કરી રહી છું, હું એ તમામ ચીજો માટે ફિટ તો થઇ શકું છું, પરંતુ હું આ ચીજો માટે બની નથી.'
જણાવી દઇએ કે ધ સ્કાઇ ઇઝ પિંક સિનેમાઘરોમાં 11 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મની સ્ટોરી ખૂબ ઇણોશનલ છે, જેમાં એક કપલ પોતાની પુત્રીને ગંભીર બિમારી અને લાઇફનો સામનો કરચા નજરે આવી રહ્યા છે. આ વચ્ચે લાઇફમાં થનાર ફેરફાર અને પડાવને શાનદાર રીતે દેખાડવામાં આવ્યો છે.