દિલ્હીમાં ડેન્ગ્યુંને કારણે દિવસેને દિવસે પરિસ્થિતી વણસી રહી છે. અત્યાર સુધીમાં અહીયા ડેન્ગ્યુને કારણે કુલ 9 લોકોના મોત થયા છે. જેના કારણે તંત્ર પણ દોડતુ થઈ ગયું છે.
દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે પરિસ્થિતી વણસી
અત્યાર સુધીમાં અહિયા ડેન્ગ્યુને કારણે 9 લોકોના મોત
બાળકો અને વૃદ્ધોમાં નોંધાયા સૌથી વધારે કેસ
રાજધાની દિલ્હીમાં માંડ કોરોના શાંત પડ્યો હતો કે હવે અહીયા ડેન્ગ્યૂનો કહેર જોવા મળી રહ્યો છે. અહિયા ડેન્ગ્યૂના કેસ એટલા વધી ગયા છે. હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બાળકો તેમજ વડીલો માટે આ બિમારી ઘણીજ ઘાતક સાબિત થઈ છે. જેથી તેમણે સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂરી છે.
દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે 9ના મોત
અત્યાર સુધી દિલ્હીમાં ડેન્ગ્યુના 2709 જેટલા કેસ નોંધાયા છે. જેમા કુલ 9 લોકોવના મોત પણ થયા છે. જેમા ચાર વૃદ્ધ હતા જ્યારે બે બાળકો હતા. ગત સપ્તાહે પણ દિલ્હીમાં ત્રણ લોકોના ડેન્ગ્યુના કારણે મોત થયા હતા. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મોતનો આંકડો ખરેખરમાં વધારે છે. કારણકે ખાલી સફદરગંજ હોસ્પિટલમાંજ ડેન્ગ્યુના કારણે 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ચોમાસાને કારણે મચ્છરોનો ઉપદ્વવ વધ્યો
દિલ્હીમાં ડેન્ગ્યૂની સ્થિતીને લઈને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસુ ઘણું લાંબુ ચાલ્યું હતું. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો. સામાન્ય પ્રમાણમાં લોકોને તાવ આવે એટલે તેઓ તબીબીની સલાહ નથી લેતા. પરંતુ જ્યારે પરિસ્થિતી વઘારે બગડે ત્યારે તેઓ લોકો પહેલા હોસ્પિટલ દોડે છે.
સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે પૂરતા પ્રયાસ
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ડેન્ગ્યુના વધતા જતા કેસોને લઈને હવે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથેજ હવે સરકાર દ્વારા પણ બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા કે જેથી કરીને તેઓ ડેન્ગ્યુને કાબૂમાં કરી શકે.
કેવી રીતે ડેન્ગ્યુને કરશો કાબૂમાં
ડેન્ગ્યુથી બચવા માટે ખાસ કરીને લોકોએ આખી બાયના કપડા પહેરવા જરૂરી છે. તે સીવાય ઘરમની આસપાસ પાણી પણ વધારે જમા ન થાય તે પણ ઘણું જરૂરી છે. ઉપરાંત જો બે દિવસ કરતા પણ વધારે તાવ તમને આવે તો ડૉક્ટરની સલાહ લેવી પણ ઘણી જરૂરી છે. સાથેજ આપણા ખાનપાન ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.