મહારાષ્ટ્રમાં લૉકડાઉન બાદ ટીવી શોના પ્રોડ્યુસરે અલગ અલગ શહેરોમાં જઇને શૂટ કરવાનુ નક્કી કર્યુ છે. તારક મહેતા...ના મેકર્સે પણ શૂટને હોલ્ડ પર મૂક્યુ હતુ પરંતુ હવે તેઓ કામ પર પરત ફર્યા છે.
તારક મહેતા...ની શૂટિંગ શરૂ
મુંબઇની બહાર થઇ રહ્યું છે શૂટિંગ
અસીત મોદીએ કરી સ્પષ્ટતા
રિપોર્ટ પ્રમાણે તારક મહેતા..ની શૂટિંગ શરૂ થઇ ગઇ છે અને પ્રડ્યુસર અસિત મોદીએ મુંબઇની બહાર જઇને શૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેથી દર્શકો એન્ટરટેઇન થતા રહે.
બાયો બબલ બનાવીને શૂટ શરૂ
આજતક સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ હતુ કે તે આખી ટીમ સાથે મુંબઇની બહાર એક રિઝોર્ટમાં બાયો બબલ બનાવીને શૂટ કરી રહ્યાં છે. અસિત મોદીએ કહ્યું કે બહાર કોઇ આવશે જશે નહી અ્ને તે અહીં ટીમ સાથે સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છે. ટીમનો સૌથી પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ખુબ ઓછા સ્ટાફ સાથે શૂટિંગ શરૂ
અસિત મોદીએ કહ્યું કે તે એક ટીમ બનીને એકબીજાને સપોર્ટ કરી રહ્યાંછે. સેટ પર ખુબ ઓછો સ્ટાફ છે અને નાના મોટા કામ કલાકાર સાથે મળીને કરી લે છે. અસિત મોદીએ કહ્યું કે તેમની આખી ફેમિલી મુંબઇમાં છે અને તે ટીમ સાથે બહાર છે.
તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદી અનેક વખત દિશા વાકાણીની શોમાં વાપસીને લઈને જવાબ આપી ચૂક્યા છે. જોકે, તેમણે ક્યારેય નથી જણાવ્યું કે દયા શોમાં ક્યારે પરત ફરશે. હવે અસિત મોદીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, દિશા વાકાણી શો છોડવા માંગે તો તેઓ નવી દયા બેન સાથે શોમાં આગળ વધશે.
દિશા વાકાણીને લઈને અસિત મોદીએ કહી આ વાત
હાલમાં જ જ્યારે તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદીને દયાબેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે હવે મારે જ દયાબેન બનવું જોઈએ. છેલ્લા ઘણાં વર્ષોથી તે પાછી ક્યારે આવશે તેને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. અમે પણ લાંબા સમયથી દિશાની રાહ જોઈ રહ્યા છે. જો દિશા વાકાણી શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરશે તો શો નવી દયાબેન સાથે આગળ વધશે.
અસિત મોદીએ આગળ કહ્યું- જોકે હાલ મને લાગે છે કે, દયાની વાપસી અને પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ મહામારીના સમયમાં એટલા સીરિયસ ઈશ્યૂ છે કે મને લાગે છે કે આ બધી બાબતો મહત્વ નથી રાખતી અને તેની રાહ જોઈ શકાય છે. અમે સેફ્ટી પ્રોટોકોલ અને શૂટિંગ જારી રાખવા માટે પણ વિચારી રહ્યાં છે. જેથી લોકોની આવક પર અસર ન થાય. બાયો બબલ ફોર્મેટ પર ઘણું જ અસરકારક છે અને જો અમે તેની પરમિશન મળી જશે તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.