શિવસેનાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનાએ દાવો કર્યો છે કે, શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે.
શિવસેનાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ
22 ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશેઃ દાવો
શિંદેના કાર્યોથી મહારાષ્ટ્રને થયું ઘણું નુકસાનઃ શિવસેના
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોમાંથી 22 ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. પોતાના સાપ્તાહિક કૉલમમાં શિવસેનાએ વરસાદ અને દુષ્કાળ દરમિયાન નિષ્ક્રિય રહેવા બદલ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર તંજ કસ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દાવો કર્યો છે કે, એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા એ ભાજપની એક અસ્થાયી વ્યવસ્થા છે.
મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશેઃ શિવસેના
સમાનામાં રોકઠોક કૉલમમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'હવે બધા સમજી ગયા છે કે તેમની (શિંદેની) મુખ્યમંત્રીની વર્દી ગમે ત્યારે ઉતારી દેવામાં આવશે.' શિવસેનાએ સામનામાં કહ્યું છે કે, “મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત અને સરપંચ ચૂંટણીમાં સફળતાનો શિંદે જૂથનો દાવો ખોટો છે. શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.'' સંપાદકીયમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શિંદેના કાર્યોથી મહારાષ્ટ્રને ઘણું નુકસાન થયું છે અને રાજ્ય તેમને માફ નહીં કરે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાના ફાયદા માટે શિંદેનો ઉપયોગ કરતી રહેશે.
દરેક જગ્યાએ ફડણવીસ જોવા મળે છેઃ શિવસેના
કૉલમમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “શિંદેનું મહારાષ્ટ્રના સીએમ તરીકે વિકાસમાં યોગદાન દેખાઈ રહ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસ દરેક જગ્યાએ જોવા મળે છે. દિલ્હીમાં શિંદેનો કોઈ પ્રભાવ નથી. ફડણવીસ મંગળવારે દિલ્હી ગયા હતા. મુંબઈને સ્લમમાંથી બહાર કાઢવાની મહત્ત્વાકાંક્ષી રણનીતિ તરીકે ધારાવી પુનર્વિકાસ પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર રેલવે પાસેથી જમીન માટે રેલવે મંત્રાલય પાસેથી મંજૂરી લઈ આવી છે.''
'ધારાવીના પુનઃવિકાસનો સંપૂર્ણ શ્રેય ફડણવીસને જાય છે'
શિવસેનાએ કહ્યું છે કે, “ધારાવીના પુનઃવિકાસનો સંપૂર્ણ શ્રેય ફડણવીસને જાય છે. રાજ્યના મુખ્યમંત્રી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જાહેરાતમાં ક્યાંય નથી.'' આ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એક વરિષ્ઠ નેતા અશોક ચૌહાણ સહિત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ભાજપમાં જોડવાની શક્યતાઓ છે. જો કે, જ્યારે કોંગ્રેસને પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેને નકારી કાઢ્યું અને કહ્યું કે "આ માત્ર પાયાવિહોણી અફવા છે"