ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી. નિવૃત્ત સેક્રેટરી જે.જી ભટ્ટ હ્રદયની બીમારીની સારવાર લઇ રહ્યા હતા. જેને લઇ તેમને ICUમાં રખાયા છે. ત્યારે ICUમાં સિવિલ હોસ્પિટલની લાપરવાહીના કારણે દર્દીને આંખ ગુમાવવી પડી છે. ત્યારે અવાર નવાર આવી ઘટનાઓ સામે આવે છે. જેને લઇ લોકોનો સરકારી હોસ્પિટલ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. તો આ અંગે ગાંધીનગર સિવિલ સુપરીટેન્ડેન્ટ નિયતિ લાખાણીનું કહેવું છે કે, સિવિલમાં ઉંદરોનો ત્રાસ છે પરંતુ ઉંદરના કારણે દર્દીની આંખ નથી કોતરાઇ. દર્દીની આંખને કેમ નુકસાન થયું તે અંગે તપાસ કરાશે.ત્યારે અહિંયા સવાલ ઉઠી રહ્યા છે કે, ક્યાં સુધી તબીબો આટલા લાપરવાહ રહેશે ?. જો ગાંધીનગરની જ સિવિલ હોસ્પિટલમાં આવી હાલત છે તો અન્ય સિવિલ હોસ્પિટલની શું વાત કરવી ?. ICUમાં દર્દી પર કેમ ધ્યાન રાખવામાં ન આવ્યું ?. શું ગાંધીનગર સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ જ નહીં કરવામાં આવતું હોય ?.