જમ્મુ એક્સપ્રેસના ઉમરાન મલીકને આ વખતે ફરી મોકો મળી શકે છે. ઉમરાને પહેલા મેચમાં એક ઓવરમાં બોલિંગ કરી હતી અને 14 રન આપ્યા હતા.
આયર્લેન્ડ સાથે ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ આજે રમવામાં આવશે
ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ સંજુ સૈમસનને મળી શકે છે મોકો
જમ્મુ એક્સપ્રેસના ઉમરાન મલીકને આ વખતે ફરી મોકો મળી શકે છે
ભારત અને આયરલેન્ડ વચ્ચે કુલ બે ટી 20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ આજે રમવામાં આવશે. પહેલા મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને 1-0 થી આગળ વધી ગઈ હતી. જો ભારતીય ટીમ બીજી મેચ પણ જીતી લે તો એ વર્ષ 2022માં ટી20ની ત્રીજી સિરીજ પણ તેના નામે કરી લેશે. ભારતે આ વર્ષે અત્યાર સુધી શ્રીલંકા અને વેસ્ટઇન્ડીજ સામે સિરિજ જીતી છે અને સાઉથ આફ્રિકા સામે 2-2 ના આંકડા એ બરાબરી થઈ હતી. આજે આયર્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ઋતુરાજ ગાયકવાડ અનફીટ હોવાના કારણે તેના રમવા અંગે હજુ સસ્પેન્સ છે. જો તેને રમાડવામાં આવશે તો ઓપનિંગ કરશે અને લાસ્ટ મેચની જેમ દિપક હુડાને ઓપનિંગની જગ્યાએ કોઈ બીજા ક્રમે રમવું પડશે તો ગઈ મેચમાં સંજુ સેમસનને ટીમમાં સ્થાન ન્હોતુ મળ્યું માટે આ મેચમાં તેને પણ રમવા મળે તેવી શક્યતા છે. ઉપરાંત જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિકને ડેબ્યૂ મેચમાં એક જ ઓવર ફેંકવા મળી હતી અને એમાં એ ખાસ પરફોર્મ કરી શક્યો નહોતો. માટે આજની મેચમાં જો તેને તક મળે તો તેના પર્ફોર્મરન્સ પર સૌની નજર રહેશે.
બોલિંગ ડીપાર્ટમેન્ટમાં બદલવાની સંભાવના
ભારતીય બોલરે પહેલા મેચમાં 12 ઓવરમાં 108 રન આપ્યા હતા. આ છતાં પણ બોલિંગ લાઇનઅપમાં બદલાવ થાય એવી સંભાવનાની ઉમ્મીદ છે. જમ્મુ એક્સપ્રેસના ઉમરાન મલીકને આ વખતે ફરી મોકો મળી શકે છે. ઉમરાને પહેલા મેચમાં એક ઓવરમાં બોલિંગ કરી હતી અને 14 રન આપ્યા હતા. એ સિવાય ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડયા અને આવેશ ખાને બોલિંગની કામણ સંભાળી હતી. સાથે જ યુજવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ પણ સ્પિનર ડિપાર્ટમેન્ટની કામણ સંભાળી હતી.
ગાયકવાડ ફિટ ન થયા તો સૈમસનને મળી શકે છે મોકો
ઓપનર ઋતુરાજ ગાયકવાડને મસલ્સના દુખાવાને કારણે પહેલા ટી 20 મેચમાં બેટિંગ માટે નહતા આવી શક્યા. જો આ મેચમાં પણ તેઓ પૂરી રીતે ફિટ થઈને ન આવ્યા તો તેમની જગ્યા એ સંજુ સૈમસનને મોકો મળી શકે છે. આઆ સ્થિતિમાં ઇશાન કિશન અને દિપક હુડ્ડા આ મેચની શરૂઆત કરી શકે છે. સૈમસનને વચ્ચે રમવાનો મોકો મળી શકે છે. પણ જો ગાયકવાડ ફિટ થઈને પરત ફર્યા તો ટીમમાં બીજો કોઈ ખાસ બદલાવ થશે નહીં.
વરસાદને કારણે અટકી શકે છે મેચ
જો કે વરસાદને કારણે પહેલો ટી 20 મેચ 12-12 ઓવરનો જ થઈ શક્યો હતો. હવે બીજા મેચ વચ્ચે પણ વરસાદ આવવાની પૂરી સંભાવના છે. મેલાહાઇડમાં આખા અઠવાડિયા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પિચ રિપોર્ટ -
મેલાહાઇડમાં અત્યાર સુધી 15 ટી20 મેચ રમવામાં આવી ગયા છે. આ બધા મેચમાં 9 મેચ બીજી પારીમાં બેટિંગ કરનાર ટીમ જીતી છે. સિરીજના પહેલા જ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પણ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.