વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વચ્છ ભારત મિશનના બિજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે સાથેજ તેઓ અટલ ભારત મિશનના પણ બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવાના છે. જેના કારણે હવે દેશના વિકાસને હવે વધુ વેગ મળશે.
સ્વચ્છ ભારત મિશનના બિજા તબક્કાનું આવતીકાલે ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે ઉદ્ઘાટવ
અટલ ભારત મિશનના પણ બીજા તબક્કાની થશે શરૂઆત
વડાપ્રધાન મોદી આવતી કાલે સ્વચ્છ ભારત અભિયાનના બિજા તબક્કાનું ઉદ્ધાટન કરશે. સાથેજ તેઓ શહેરી પરિવર્તન અને અટલ મિશનના પણ બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
પીએમઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું
પીએમઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે બંને અભિયાન બધા શહેરોને ગંદક અને કચરા મુક્ત બનાવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યા છે. કાલે સવારે 11 વાગ્યે PM મોદી ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં આ બંન્ને અભિયાનનું ઉદ્ધાટન કરશે. આ મામલે પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું તે દેશમાં જે રીતે ઝડપતી શહેરીકરણ વધી રહ્યું છે તેના પડકારોનો સામનો કરવા એક પગલું ભરવામાં આવશે.
દેશના વિકાસને વધુ વેગ મળશે
વધુમાં પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અભિયાન 2030 સુધી સતત વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરી, રાજ્ય મંત્રી કૌશલ કિશોર, સાથેજ કેન્દ્ર શાસિત પ્રદેશોના શહેરી વિકાસ મંત્રી પણ હાજર રહેશે. આ બંને અભિયાનોને કારણે પાણીની અછત દૂર થશે સાથેજ સ્વચ્થતા રહેશે. જેથી દેશના વિકાસને પણ વેગ મળશે.
પહેલા વખત જિલ્લા પ્રમાણે રેકિંગ થશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગત સોમવારે વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણાના સાતમાં સંરક્ષણ સ્વછતા સર્વેક્ષણ -20222ની શરૂઆત કરી હતી. જેને લઈને પહેલી વખત જિલ્લાઓની રેકિંગ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે સર્વેક્ષણના હેતુથી આ વખતે વસ્તીને બે ભાગમાં વહેચવમાં આવશે.