આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે તો રામેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા છે
આજે શ્રાવણ માસનો બીજો સોમવાર
રામેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યા લોકો
બમ ભોલેના નાદથી ગુંજ્યું શિવાલય
આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા છે. અમદાવાદમાં રામેશ્વર મહાદેવ મંદિર ભક્તોને શિવ મંદિરમાં જઈ શિવની પૂજા અર્ચના કરી છે. ઉલ્લેખનિય છે કે રામેશ્વર મહાદેવ મંદિરે 21 ફુટ ઉંચા શિવલિંગ દર્શનથી 12 જ્યોતિર્લિંગ સાથે દર્શન થતા હોવાનું છે અનેરૂં મહત્વ છે.
અહિ આવતા દર્શનાર્થીઓ ભગવાન શિવને જળાભિષેક કરી બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરે છે. ત્યારે શ્રાવણ મહિનાના બીજા સોમવારે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
બમ ભોલેના નાદથી ગુંજ્યું શિવાલય
ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે.. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.
શિવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા
પૂર્વ અમદાવાદમાં શ્રાવણ માસને લઇને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, સારંગપુરમાં આવેલા કર્ણમુક્તેશ્વર મંદિર, ઇન્દિરાબ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામનું પ્રાચિન શિવ મંદિર, સિંગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા છે.