વેક્સિનને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે પરતું રાજ્યમાં કોરોના વેક્સિનને પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝમાટે નિરસતા જોવા મળી રહી છે.
કોરોના સામે કવચ લેવામાં કચાશ કેમ?
મહાનગરોમાં વેક્સિનના બીજા ડોઝને લઈ નીરસતા
84 દિવસ થતાં જ લઇ લો વેક્સિનનો બીજો ડોઝ
દેશ અને રાજ્યમાં કોરોના કાબૂમાં છે, તેમજ વેક્સિનેશના મહાઅભિયાન બાદ હવે દેશમાં સારા એવા પ્રમાણમાં વેક્સિનેશન અંગે જાગૃતિ આવી છે, વેક્સિનને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે પરતું રાજ્યમાં કોરોના વેક્સિનને પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝમાટે નિરસતા જોવા મળી રહી છે.
મહાનગરોમાં નીરસતા ચિંતાનો વિષય
દેશમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર પહોંચી ગયો છે ત્યારે ગુજરાતમાં હજુ પણ વેક્સિનને લઈને નિરસતા જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં બીજો ડોઝ ન લીધો હોય તેવા 42,46,434 લોકો નોંધાયા, વેક્સિન અંગે રાજ્યના 33 જિલ્લા અને 8 મનપા વિસ્તારની વિગતો સામે આવી છે જેમાં વેક્સિનનો પહેલા ડોઝ લીધા બાદ આરોગ્ય વિભાગે પ્રથમ ડોઝના ડેટા આધારે વેક્સિનના બીજા ડોઝ માટે ટ્રેસિંગ શરૂ કર્યું છે.
કોરોના સામે કવચ લેવામાં કચાશ કેમ?
મહત્વનું છે કે સોમવારે જ આરોગ્ય વિભાગે 2 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપ્યો છે, પરતું વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે રાજ્યમાં મોટા ભાગના લોકોમાં નિરસતા જોવા મળી રહી છે, જો વાત અમદાવાદ શહેરની જ કરવામાં આવે તો શહેરમાં 8 લાખ 38 હજાર 707 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો, જ્યારે સુરતમાં પણ 3 લાખ 36 હજાર 846 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો, આ તરફ જૂનાગઢમાં માત્ર 39 હજાર 960 લોકો, તો રાજકોટ અને વડોદરામાં 1 લાખ 40 હજારથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો, અહીં વેક્સિનનો બીજો ડોઝ ન લેવામાં જૂનાગઢમાં સૌથી ઓછી સંખ્યા નોંધાઈ છે.
84 દિવસ થતાં જ લઇ લો વેક્સિનનો બીજો ડોઝ
હાલ તો આરોગ્ય વિભાગે બીજો ડોઝ ન લેનાર લોકોનું પ્રથમ ડોઝના ડેટાના આધારે ટ્રેસિંગ શરૂ કર્યું છે. મહત્વનું છે કે 84 દિવસ થતાં જ બીજો ડોઝ લઈ તેવો જરૂરી છે પરતું કેટલાક લોકો બીજી ડોઝ લેવા તૈયાર નથી, તો કેટલાકમાં નિરસતા જોવા મળ રહી છે.