અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે પરતું જે કાઠાનો વિકાસ થયો છે તેની સુંદરતા દેખાય છે પણ વાસ્તવિકતા જૂદી જ છે
શહેરમાં નદીમાં ચોખ્ખુ પાણી રાખીને બ્યુટીફિકેશન દર્શાવાય છે
શહેર પૂર્ણ થતાં જ નદીમાં છોડવામાં આવે છે કેમિકલ પાણી
જમીન અને ભૂગર્ભ જળને પ્રદૂષિત પાણીથી થઈ રહ્યું છે નુકસાન
અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે પરતું જે કાઠાનો વિકાસ થયો છે તેની સુંદરતા દેખાય છે પરતું નદીનો એવો પણ વિસ્તાર છે જ્યા ગંદું પાણી ઠલવાઈ રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે સાબરમતી નદી હવે પ્રદુષણનો પર્યાય બનતી જાય છે
અમદાવાદની સાબરમતી નદી બની પ્રદૂષિત
નદીના ના પાણીમાં ભયંકર પ્રદૂષણ ફેલાઈ રહ્યું જોવા મળી રહ્યું છે કંપનીઓના ઝેરી તત્વો મળતા નદીનું પાણી દિવસે દિવસે ઝેરી બનતું જઈ રહ્યું છે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા પછી પણ સાબરમતી નદીને પ્રદૂષણથી બચાવી શકાઇ નથી.
2 વર્ષ બાદ પણ સાબરમતી નદીની સ્થિતિ ઠેરની ઠેર
અમદાવાદની સાબરમતી નદી હવે પ્રદૂષિત બની રહી છે વાસણા બેરેજ સુધી નદીમાં સુધુ ચોખ્ખુ પાણી ભરવામાં આવે છે પરતું ઔદ્યોગિક એકમો દ્વારા ઠાવવામાં આવતા પાણીથી નદીમાં પ્રદુષણની માંત્રામાં વધારો થઈ રહ્યો છે જેથી નદી કાંઠાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે પ્રદુષિત પાણી વહેતું હોવાથી દયાજનક સ્થિતિ સર્જાઈ છે.
રોજ નદીના પટમાં કચરો ઠલવાય છે
બે વર્ષ પહેલા નદીને પ્રદૂષણ મુક્ત કરવા અભિયાન હાથ ધર્યું હતું પરતું આજે પરિસ્થિતિ ઠેરની ઠેર છે વાસણા બેરેજ પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નાળા મારફતે જે પ્રવાહી ઠલવાય છે તે પણ પ્રદૂષિત છે બીજી તરફ ઔદ્યોગિક એકમો દ્વારા પણ રોજ નદીના પટમાં કચરો ઠલવાય છે નરોડા, ઓઢવ, વટવા, નારોલ વિગેરે વિસ્તારના ઔદ્યોગિક એકમોનું પ્રદુષિત પાણી સીધું નદીમા છોડવામાં આવતા નદી વધુ પ્રદુષિત બની છે.
શહેર પૂર્ણ થતાં જ નદીમાં છોડવામાં આવે છે કેમિકલ પાણી
તો બીજી તરફ નદી કાંઠાના લોકો પ્રદુષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી જે રિવરફ્રન્ટ બનાવ્યો છે તે ભાગના પાણીને ચોખ્ખુ રાખીને બ્યુટીફિકેશન દર્શાવાય છે પરતું શહેરી વિસ્તાર પૂર્ણ થતા જ સાબરમતી નદીની હકિકત જોવા મળે છે, શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. જેને કારણે જમીનથી લઈને ભૂગર્ભ જળમાં પણ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા તંત્રને સળગતા સવાલો
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા માટે જવાબદાર કોણ?
GPCB કેમિકલ પાણી છોડતા એકમો વિરુદ્ધ એક્શન ક્યારે લેશે?
વાસણા બેરેજ સુધી સાબરમતી નદીને શુદ્ધ દર્શાવાય છે
શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલ વાળા પાણી કેમ છોડાય છે?
વિશ્વના નેતાઓને સાબરમતી નદી શુદ્ધ હોવાના દ્રશ્ય દેખાડાય છે
શહેરના છેવાડેથી નદીની જે સ્થિતિ છે તેના માટે જવાબદાર કોણ?
સાબરમતીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડનારા ક્યાં ગયા?
શું નેતાઓ સાબરમતીને સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી જ માને છે?
વાસણા બેરેજ બાદ નદીની સ્વચ્છતાની ઝુંબેશ કોણ ઉપાડશે?