જામનગરના રાજવી પરિવારનાં રાજકુમારી હર્ષદકુંવરીબાનું લાંબી બીમારી બાદ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયું છે. રાજવી પરિવારના સહ્રદયી રાજ્કુમારીબાનાં નિધનથી શોકનો માહોલ
ગુજરાતના રાજવી પરિવારમાં શોકનો માહોલ
જામનગરનો રાજવી પરિવાર શોક સંતપ્ત
રાજકુમારી હર્ષદકુંવરીબાનું અમદાવાદમાં નિધન
જામનગરના રાજવી પરિવારનાં રાજકુમારી હર્ષદકુંવરીબાનું લાંબી બીમારી બાદ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયું છે. રાજવી પરિવારના સહ્રદયી રાજ્કુમારી હર્ષદ કુમારીબાનું નિધન થતાં શોકનો માહોલ છવાયો છે. હર્ષદકુંવરીબાની તબિયત લથડ્યા બાદ તેઓને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓનું સારવાર દરમિયાનનિધન થયું. એક પખવાડિયા પૂર્વે જ તેઓને વધુ સારવાર માટે જામનગરથી અમદાવાદ ખસેડાયા હતા. હર્ષદકુંવરીબાનો અંતિમવિધિ અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં થશે. તેઓ સત્ય સાઈ સ્કૂલના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત હતા
જામનગર રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના જયેષ્ઠ ભગીની હર્ષદકુંવરીબાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓને 15 દિવસ પૂર્વે જ અમદાવાદની એપોલો હોસ્પીટલમાં સાર્વારાથે ખસેડાયા હતા. મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું લાંબી સારવાર બાદ નિધન થયું છે.