અમેરિકાએ વિશ્વનાં પહેલા નંબરનાં આતંકવાદી બગદાદીને ઠાર કર્યો છે. મરનાર બગદાદી જ હતો કે કેમ તેની પુષ્ટિ પણ ઘટનાસ્થળે જ કરાઈ હતી. બગદાદીને કોઈ સેનાના જવાને નહી પણ ડોગ સ્ક્વૉડે ઠાર કર્યો છે. શું હતી ડોગ સ્ક્વૉડની ભૂમિકા ? કેવી રીતે અમેરિકાએ ઘટના સ્થળે જ બગદાદીનાં માર્યાં જવાની વાતને કન્ફર્મ કરી?
ફ્લાઈટોને આગની ઝપેટમાં આવી જવાનો ડર હતો
બગદાદી પોતાના જેકેટમાં રહેલા વિસ્ફોટકથી જ મર્યો
બગદાદીને ઠાર કરવામાં ડોગ સ્વોર્ડની ભૂમિકા મહત્વની રહી
શનિવારે રવાના થયાં હતાં હેલિકોપ્ટર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં આ ઓપરેશન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાનાં સ્પેશિયલ ફોર્સનાં ઑપરેશન દરમિયાન વિશ્વનાં નંબર વન આતંકવાદીનું મોત થયું છે. શનિવારે એક હેલિકૉપ્ટર અમેરિકાની સ્પેશિયલ ફોર્સને લઈને સાંજે 5 વાગ્યે વૉશિંગ્ટનથી રવાના થયું હતું. હેલિકૉપ્ટર 1 કલાક 10 મિનિટ સુધી બંને દિશામાં આકાશમાં ફરતું રહ્યું હતું. રવિવારે જ અમેરિકાની સ્પેશિય ફોર્સે સીરિયામાં ઈદલિબ પ્રાંતનાં બારિશા ગામ પર હુમલો કર્યો હતો. જે તુર્કીની દક્ષિણ સરહદથી માત્ર 5 કિમી પર ઈદલિબ સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદનાં વિરોધીઓનો અંતિમ મજબૂત કિલ્લો હતો. જે જેહાદીઓનાં ગઠબંધનનું ગઢ રહ્યો છે. તેનો ઇસ્લામિક સ્ટેટથી હિંસક અથડામણ રહી છે. એવું માનાય છે કે આઈએસના સેંકડો લડાકુ અહીંયાં છે.
આ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું?
અમેરિકાની જાસૂસી એજન્સીની નજર પહેલીથી બગદાદી પર હતી. તેમને જેવી જાણ થઈ કે બગદાદી અહીં છે અને ત્યાં સુરંગો છે. આ સુરંગોમાંથી ઘણી સુરંગો એવી હતી કે જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો પણ નહોતો. જેથી સ્પેશિયલ ફોર્સની એક ટીમ, 8 હેલિકોપ્ટર, અનેક વહાણો અને ફાઈટર વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર તુર્ક પરથી ઉડ્યા અને સીરિયા અને રશિયન સેનાનાં કન્ટ્રોલમાં રહેલા વિસ્તાર પરથી પસાર થયાં છતાં રશિયાએ ખૂબ મદદ કરી હતી.
ફ્લાઈટોને આટલી તકલીફ પડી હતી
જે વિસ્તારમાંથી ફ્લાઈટ્સ પસાર થઈ તે ખૂબ ખતરનાક હતાં. જ્યાં આગની ઝપેટમાં આવી જવાનો ડર હતો. જેથી ઘણીવાર ફલાઈટોની સ્પીડ ધીમી કરવી પડી હતી તો ક્યારે વધાવી પડી હતી. હેલિકોપ્ટર્સે બગદાદીનાં પરિસરમાં પહોંચતાની સાથે જ ગોળીબાર શરુ કરી દીધો હતો. તેને પહોંચી વળવામાં બહું ઓછો સમય લાગ્યો હતો. બારિશા ગામની એક વ્યક્તિએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, જમીન પર લેન્ડ થતા પહેલા હેલિકોપ્ટર દ્વારા 30 મિનિટ સુધી ફાયરિંગ થયું હતું. સ્પેશિયલ ફોર્સે દરવાજામાં ફસાઈ ન જવાય તે માટે પરિસરની દિવાલોમાં બાકોરા પાડ્યાં હતાં. એ બાદ તેમણે કેમ્પર્સમાં ઓપરેશન ચાલુ ક્યું હતું.
બગદાદી રડવા લાગ્યો હતો અંતે તે બાળકો સાથે મરી ગયો
ટ્રમ્પે જણાવ્યું હતું કે બગદાદી સુરંગમાંથી ભાગવા ગયો હતો પણ તે સુરંગમાંથી નીકળવાનો રસ્તો ન હોઈ તે નીકળી શક્યો નહોતો. બગદાદી મુંઝવણમાં મુકાયો હતો અને રડવા પણ લાગ્યો હતો. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે પહેલાં તો આખા કેમ્પર્સને ખાલી કરાવ્યું હતું. કેટલાકે સરેન્ડર કર્યં તો કેટલાક માર્યા ગયાં હતાં. જો કે 11 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. બગદાદીએ તેના 3 બાળકો સાથે ભાગવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો.
બગદાદીનાં કમરે રહેલો વિસ્ફોટક ફાટતાં સુરંગ પણ કાટમાળમાં ફેરવાયો હતો
બગદાદી સુરંગના છેડે 3 બાળકો સાથે પહોંચી ગયો હતો. જોકે કુતરાઓ તેને તગેડતાં તે પડી ગયો હતો. જેથી તેનાં કમરે બાંધેલા વિસ્ફોટકોથી તેણે જાતે જ પોતાને અને બાળકોને ઉડાડી દીધાં હતાં. જેમાં તેનાં શરીરનાં લીરે લીરા ઉડી ગયાં હતા. જ્યારે સુરંગ આખી ઉડી ગઈ હતી જેનો માત્ર કાટમાળ વધ્યો હતો.
ઘટના સ્થળે જ DNA કરાયા
બગદાદીએ જાતે જ સુરંગ ઉડાવી હોવાથી તેનાં શરીરના અંગોથી એ કન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે તે બગદાદી જ હતો. 15 મિનિટમાં જ બગદાદીને ઠાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓપરેશનમાં રહેલી સ્પેશિયલ ફોર્સની સાથે ડીએનએ નિષ્ણાંત હતાં. જેમણે તે જ સમયે ડીએનએ સેમ્પલ લઈને ત્યાં જ ડીએનએ મેચ કર્યાં હતાં. જોકે સ્વતંત્ર રીતે બગદાદીનાં સ્વતંત્ર રીતે મોતની પુષ્ટિ થઈ શકી નથી. આઈએસ સમર્થકો પર બગદાદીનાં મોતને લઈને અનેક તર્ક કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં બગદાદીની બે પત્નીઓ પણ હતી. જેમણે પોતાનાં પર વિસ્ફોટકો બાંધ્યાં હતાં. જે ફુટ્યાં નહોતાં.
કુતરાઓનાં ડરે બગદાદીએ પોતાને ઉડાવી દીધો
આ ઓપરેશનમાં બે હોલિકોપ્ટરમાં 9 કુતરા હતાં. આ ડોગ સ્ક્વોર્ડે સ્પીડમાં બગદાદી પર હુમલો કર્યો હતો. ગભરાયેલો બગદાદી 3 દિકરાઓ સાથે 1 સુરંગમાં ઘૂસી હતો. જ્યાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. કુતરાઓએ તેનો પીછો કર્યો હતો. બગદાદીને ડર હતો કે કુતરાઓ તેને તથાં તેનાં બાળકોને ફાડી ખાશે તેથી તેણે પોતાના જેકેટ પર રહેલાં વિસ્ફોટકથી પોતાની જાતને બાળકો સાથે ઉડાવી દીધી હતી. આ ઘટનામાં એક કુતરુ ઘાયલ થયું હતું.