વલસાડનાં એક આંગડિયા પેઢીનાં કર્મચારીને બુકાનીધારીઓએ ચાલું ટ્રેનમાં લુંટી લઈ છુ થઈ ગયાં હતાં. આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવી આ બુકાનીધારીઓએ રૂ. 50 લાખની લુંટ કરી હતી. આરપીએફએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચાલું ટ્રેનમાં બુકાની ધારીઓએ લુંટ ચલાવી
આંગડિયા પેઢીનાં કર્મચારી 50 લાખ લઈ સુરત જઈ રહ્યાં હતા
આંગડિયા પેઢીનાં કર્મચારી 50 લાખ લઈ સુરત જઈ રહ્યાં હતા
વલસાડનાં એમજી રોડ પર રહેતાં 42 વર્ષીય પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત અમરત કાંતિલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં કામ કરે છે. તેઓ વલસાડથી સુરત ડિલિવરી મેનનું કામ કરે છે. ગત રોજનીં સાંજે કચ્છ એક્સપ્રેસ ટ્રેનનાં જનરલ ડબ્બામાં સુરત જવા નીકળ્યાં હતાં. સાંજે 8.45થી9 વાગ્યા દરમિયાન પાંચ એક જેટલા બુકાનીધારી લોકોએ તેમની બેંગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ લુંટારુઓએ તમંચા જેવું હથિયાર બતાવી લુંટ ચલાવી હતી. લુંટારુઓનો પ્રતિકાર કરતા પ્રવિણસિંહ ઈજાગ્રસ્ત થયાં હતાં.
આ ઘટનામાં ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયાં હતાં. આ બાદ ટ્રેન નવસારી પહોંચતા તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકવામાં આવ્યા હતાં. બીજી તરફ લુંટારુઓ 50 લાખ ભરેલી બેગ લુંટી ડુંગરી પાસેનાં ફાટક નજીર ચેઈન પુલિંગ કરી તેઓ ભાગી ગયાં હતાં. ત્યારે આરપીએફની ટીમે લુંટારુઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કોચમાં બેસેલા પાંચેક ઈસમોએ મોઢે બુકાની બાંધેલ હતી
રેકી કરી લુંટારુઓએ ચલાવી લુંટ
લુંટારુઓએ જે રીતે ઘટનાને અંજામ આપ્યો છે તે એક ફિલ્મી ઢબે હતું. ફિલ્મી ઢબે લુંટ મચાવી લુંટારુઓને એ ખ્યાલ હતો કે ક્યાં ચેઈન પુલિંગ કરીને ઉતરવું. આ તમામ સંજોગોને જોતા લુંટમાં લુંટારુઓએ રેકી કરી હોવાનું જણાઈ રહ્યું છે. લુંટ કરી ગુમ થઈ ગયેલા લુંટારુઓને પકડવા માટે પોલીસે વાહનચેકિંગ અને નાકાબંધી કરી લીધી હતી.