અમદાવાદમાં 4 વર્ષથી ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે મેટ્રોની કામગીરીને કારણે થલતેજ તળાવ સુધીનો રસ્તો એક વર્ષ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે.
મેટ્રોની કામગીરીને કારણે અમદાવાદના લોકો હેરાન પરેશાન
થલતેજ તળાવ સુધીનો રસ્તો 1 વર્ષ સુધી બંઘ કરવામાં આવ્યો
રસ્તો બંધ થવાને કારણે વેપાર ધંધાને મોટો ફટકો
અમદાવાદ શહેરમાં છેલ્લા 4 વર્ષથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. શેહરમાં લોકોને યોગ્ય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વરા મેટ્રોની સુવિધા લાવવામાં આવી રહી છે. પરંતુ મેટ્રોની કામગીરીને કારણે શહેરીજનો ભયંકર પરેશાન થઈ રહ્યા છે. જેમા અવારા નવાર આ કામગીરીને કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે.
એક વર્ષ સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો
શહેરમાં થલતેજ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને કારણે હવે થલતેજ તળાવ સુધીનો રસ્તો એક વર્ષ સુદી બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ત્યા રોજ અવર જવર કરતા લોકોને હવે ભારે હાલાંકી કરવાનો વારો આવ્યો છે. અવાર નવાર મેટ્રોની કામગીરીને કારણે શહેરના ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે.
વેપાર ધંધાને મોટો ફટકો
થલતેજ તળાવ સુધીનો જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તે રસ્તાને કારણે ખાસ કરીને વેપાર -ધંધાને મોટો ફટકો પડ્યો છે. જેમા ત્યા આવેલી દુકાનોના વેપારીઓ ભારે નુકશાન થશે. કારણકે રસ્તો બંધ કરી દેવાને કારણે ત્યા લોકોની અવરજવનર નહી રહે જેથી મેટ્રોની કામગીરી તે વેપારીઓ માટે બેરોજગારીનું કારણ બની છે.
ટ્રાફીક જામની સમસ્યાને કારણે પણ લોકો હેરાન પરેશાન
ઉલ્લેખનીય છે કે અગાઉ મેટ્રોની કામગીરીને કારણે જીવરાજ બ્રીજ પણ 2 થી 3 વખત બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે પૂર્વ વિસ્તારમાંથી આવતો નોકરિયાત વર્ગ પરેશાન થઈ ગયો હતો. તે સિવાય અકબારનગરથી આરટીઓ સર્કલ સુધીના રસ્તા પર પણ મેટ્રોની કામગીરીને કારણે રોજ ભારે ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે.