ખાનપુર તાલુકામાં કાનેસરથી છાપરી સુધી બનેલો રોડ તૂટ્યો
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કાનેસરથી છાપરી સુધીનો 7.62 કિમી રોડ કે જે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ 342.71 લાખની માતબર રકમથી બનેલ. નવીન રોડમાં રોડ બન્યાના પંદર દિવસમાં ખાડા પડ્યા છે જેના કારણે ગ્રામજનોએ હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાના આક્ષેપ લગાવ્યા છે તો બીજી બાજુ અધિકારીએ કોન્ટ્રાક્ટરના બચાવમાં કહ્યું કે, રોડ નીચે પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાના કારણે રોડ તૂટ્યો છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવામાં આવી રહ્યા છે રોડ
સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરવા પાછળની ભાવના અને ઉદ્દેશ્ય બિન જોડાણ વગરના રહેઠાણોને સારી ઓલ-વેધર રોડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે અને જે માટે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એક ગામથી બીજા ગામ જવા માટે ઝડપી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ મળી રહે તેમજ સુવિધા સભર રસ્તાઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકાય અને માર્ગ અકસ્માત થાય નહિ તેવી સારી નેમ સાથે નવીન રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને જે માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નવીન રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે
ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો
ગ્રામ્ય વિસ્તારોમાં એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ બનાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રસ્તા બનતાની સાથેજ તૂટી જાય ત્યારે રોડ બનાવવા માટે થયેલ કામગીરી પર આક્ષેપો લાગતા હોય છે અને આ આક્ષેપો સ્થાનિક ગ્રામજનો જ લગાવતા હોય છે કારણકે તેમને આ રોડનો સૌથી વધુ એક ગામથી બીજા ગામ માટે ઉપયોગ કરતા હોય છે અને જો રોડ મજબૂત નહિ હોય અને રોડ બનતાના થોડાક દિવસમાં તૂટવા માંડે તો આ રોડનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ કરતા સ્થાનિકો ગ્રામજનોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સારી સુવિધા વાળો મજબૂત રોડ બને તેમ ગ્રામજનો ઇચ્છતા હોય છે, પરંતુ અહીં ગ્રામજનોની મુશ્કેલીઓમાં ઘટાડો થવાને બદલે મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
ફરી રોડ બનવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામથી છાપરી સુધીનો 7.62 કિમી રસ્તો જે 342.71 લાખ રૂપિયાની માતબર રકમથી નવો બન્યો છે અને રોડ બન્યાના પંદર દિવસમાં રોડ તૂટવા માંડતા ગ્રામજનોએ રોડની કામગીરી પર આક્ષેપો લગાવ્યા છે અને જે હલકી કક્ષાની કામગીરી કારણે રોડ તૂટ્યો છે તેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેમજ રોડ બનાવવા માટે જે મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે તેના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે અને રોડ કેમ આટલો ઝડપથી તૂટી ગયો તેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને રોડ જ્યાં જ્યાં તૂટ્યો છે ત્યાં ફરી રોડ બનવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ખાનપુર તાલુકામાં પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત બની રહેલ નવીન રોડમાં ખાડા પડવા માંડતા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપો થતા માર્ગ અને મકાન વિભાગ પંચાયતની દેખરેખ હેઠળ બનતા નવીન રોડની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે
સળગતા સવાલ
રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
સ્થાનિકોને સારો રોડ ક્યારે મળશે?
જનપ્રતિનિધિઓને આ રોડ દેખાતો કેમ નથી?
15 દિવસમાં રોડ કેવી રીતે તૂટે?
રોડના કામમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો?
કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
કાર્યપાલ ઈજનેર કોન્ટ્રાક્ટરનો બચાવ કેમ કરે છે?
શું કોન્ટ્રાક્ટરે કાર્યપાલ ઈજનેરને રૂપિયા ખવડાવ્યા?
શું ગામમાં રહેતા લોકોને સારા રસ્તાની જરૂર ન પડે?