બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડાકોર જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, 3 દિવસ માટે આ રસ્તો બંધ રહેશે, જશો તો ધક્કો પડશે
Last Updated: 12:05 PM, 11 December 2024
ડાકોર જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદથી ડાકોર જતો રસ્તો 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મહુધા ફાટકનું કામકાજ શરૂ કરવામાં આવતા આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ખાત્રજ ચાર રસ્તાથી મહુધા તરફ જતા વાહનોને અન્ય માર્ગ જવાની વારી આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માર્ગે થી રોજબરોજ 5 હજારથી વધારે વાહનો પસાર થતા હોય છે, ત્યાર ત્રણ દિવસ ફાટક બંધ રાખવામાં આવતા તમામ વાહનોને અન્ય માર્ગે જવાની વારી આવશે.
ADVERTISEMENT
ત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવતા મહુધા તરફ રોજબરોજ અવરજવર કરતા વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવશે. મહુધા ફાટકનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હોઇ 3 દિવસ સુધી રસ્તો બંધ રાખવામાં આવનાર છે. ત્યારે અમદાવાદ વાયા ખાત્રજ ચાર રસ્તાથી મહુધા તરફથી ડાકોર જતા વાહનોએ અન્ય માર્ગે જવાની વારી આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો : હજુય ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
રેલવે વિભાગ દ્વારા મહુધા મામલતદાર નજીક ફાટકનું કામ શરુ કરવામાં આવ્યું છે. જોકે આગામી સમયમાં અન્ય ચાર ફાટકોના પણ તબક્કા વાર કામ ચાલુ કરવામાં આવશે. ત્યારે આજ સવારથી મહુધા-ડાકોર નજીક કામ શરુ કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.