ભાવનગર: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2012માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડવા માટે સંકલ્પ કર્યો હતો. અને રો રો ફેરી નામથી એક સેવા શરૂ કરવામાં આવી હતી.
જો કે બાદમાં ટેક્નીકલ કારણોસર આ સેવાને બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એક વખત આગામી 12 ઓક્ટોબરથી આ સેવાની શરૂઆત કરવામાં આવશે. આ સેવાની શરૂઆત થતા ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટી માઈલનું અંતર જહાજ માત્ર એક કલાકમાં પુરુ કરી શકાશે.
રો-રો ફેરીમાં ટ્રક બસ મોટર કાર અને બાઈક પણ લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારના ક્લાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ ક્લાસ એક્ઝીક્યુટીવ કલાસ અને ઇકોનોમી કલાસનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે 22 સપ્ટેમ્બરથી રો-રો ફેરી સેવા શરુ કરવામાં આવી હતી. જોકે આ પહેલા ટેકનીકલ કારણોસર આ સેવા માત્ર પેસેન્જરો પુરતી જ સીમિત રહી હતી. દરિયાઈ કરંટ અને પેસેન્જર સેવાને રો-રોમાં ફેરવવા ત્રણ માસ માટે બંધ કરવામાં આવી હતી.