કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે પરંતુ એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેને જાણીને તમે પણ હેરાન થયા વગર નહી રહો.
એક સ્ટડીમાં ગંભીર રોગનો થયો ખુલાસો
ભારત અને બ્રિટનમાં આ રોગના 11 કેસ મળી આવ્યા
ભારતમાં મળી આવેલા 11 માંથી 7 કેસ ફક્ત કેરળના
એક સ્ટડી અનુસર વેક્સિન લીધા પછી જે લોકોને ગિલેઇન-બેરી સિન્ડ્રોમ રોગ થયો છે, તેમનો ચહેરો બંને બાજુથી નબળો પડી ગયો હતો. જ્યારે સામાન્ય રીતે તેના 20 ટકાથી ઓછા કેસમાં ગિલેઈન-બેરી સિન્ડ્રોમ રોગના લક્ષણો જોવા મળ્યા છે.
કોરોના મહામારી સામે રક્ષણ માટે અને રસીકરણને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ(AstraZeneca-Oxford)થી બનેલી કોરોના વેક્સિન ઘણા લોકો પર વિપરીત અસર કરે છે. અત્યાર સુધીમાં આ રસી લીધેલા 11 લોકો ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો ભોગ બન્યા છે. તેમાંથી 7 જેટલા કેસ એકલા કેરળમાં જ મળી આવ્યા છે. સ્ટડી રિપોર્ટ મુજબ કેરળમાં 12 લાખ લોકોને એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ રસી આપવામાં આવી હતી.
4 કેસ નોટિંગહામમાં પણ જોવા મળ્યા
સ્ટડી રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત અને બ્રિટનમાં એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ વેક્સિન મેળવનારા કુલ 11 લોકોને 'ગિલાઈન-બેરે' નામના ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોવાનું જોવા મળ્યું છે. તેમાંથી કેરળમાં 7 અને નોટિંગહામમાં 4 કેસ નોંધાયા છે. નોટિંગહામમાં લગભગ 7 લાખ લોકોને એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ રસી આપવામાં આવી છે. સ્ટડી અનુસાર, એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ વેક્સિનને ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનના નામથી બનાવવામાં આવે છે.
એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ વેક્સિનના પ્રથમ ડોઝ પછી પીડિત
ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની વાત કરવામાં આવે તો 'ગુલિયન બેરી સિન્ડ્રોમ' એક દુર્લભ રોગ છે. આ રોગ આપના શરીરની ઈમ્યુન સીસ્ટમ, નર્વ સીસ્ટમ અને શરીરમાં હાજર રહેલી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ જ ખરાબ અસર કરે છે. ખાસ કરીને આ ગુલિયન બેરી સિન્ડ્રોમથી પીડિત લોકોના ફેસની ચેતાઓ નબળી પડી જાય છે. અધ્યયન મુજબ ભારતમાં આ રોગના 7 કેસ વેક્સિન લીધા બાદ નોંધાયા છે. આ 7 લોકોએ કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને તે પછી 10-22 દિવસની વચ્ચે, તેમના શરીરમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના લક્ષણો જોવા મળ્યાં હતાં.
ગુલિયન-બેરી રોગની સ્પીડથી નિષ્ણાતો પણ હેરાન
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લીધા પછી, જે લોકોને ગિલેઈન-બેરી સિન્ડ્રોમ રોગ થયો છે, તેમનો ફેસ બંને બાજુથી નબળો પડી ગયો છે. જ્યારે સામાન્ય રીતે તેના 20 ટકાથી ઓછા કેસોમાં ગિલેઈન-બેરી સિન્ડ્રોમ રોગના લક્ષણો જોવા મળ્યા છે. રિસર્ચર્સ પણ આશ્ચર્યચકિત છે કે આટલા ઓછા સમયમાં આ રોગ અપેક્ષા કરતા ખૂબ ઝડપી ફેલાઈ રહ્યો છે. જો કે, રિસર્સર્ચે જણાવ્યું છે કે કોરોના વેક્સિન સેફ છે પરંતુ તેમ છતાં વેક્સિન લેનાર દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે.
આ છે ગિલેઈન-બેરેના સિન્ડ્રોમના લક્ષણો
રિસર્ચર્સનું કહેવું છે કે જો કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી ગિલેઈન-બેરેના સિન્ડ્રોમના કોઈ પણ જાતના લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગિલેઈન બેરી સિન્ડ્રોમના ઘણા પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. શરીરમાં અશક્તિ, ફેસની સ્નાયુઓ નબળી થઈ જવી, હાથપગમાં કળતર અને હૃદયના અનિયમિત ધબકારા જેવા લક્ષણો ગિલેઈન બેરી સિન્ડ્રોમ વિશે ચેતવે છે. નોંધપાત્ર છે કે, કોરોના વાયરસની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને, દેશમાં રસીકરણની ગતિ વધારવા માટે સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.