તમામ કલેકટરોને મહેસુલ વિભાગે આપી સૂચના; 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવી, નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની બદલીઓ થશે
મહેસુલ વિભાગમાં 4 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની થશે બદલી
વર્ગ 3ના કર્મચારીઓની આગામી દિવસોમાં કરવામાં આવશે બદલી
તમામ કલેકટરોને મહેસુલ વિભાગે આપી સૂચના
મહેસુલ વિભાગમાં 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવામાં આવેશે, નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની સહિતના વર્ગ-3 તમામ કર્મચારીઓની બદલી કરવા કલેકટરોને મહેસુલ વિભાગે સૂચના આપી છે.
જુઓ પરિપત્ર
મહેસુલ વિભાગે પરિપત્ર કર્યો
મહેસુલ વિભાગે કલેક્ટરોને એક પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, આપના જિલ્લાના મહેકમ હસ્તકના મહેસુલ વિભાગ હસ્તકના બિનરાજપત્રિત વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા/ એક જ કચેરીમાં ફરજ બજાવી રહ્યાં હોય તેવા તમામ નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની બદલી કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી તે અંગેનો અહેવાલ ન-શાખાના મેઈલમાં કરવો.