સુરતમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવવો છે. શહેરના રાંદેર ઝોનમાં અઠવાડિયામાં કોરોનાના નવા 5,077 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને સુરત મનપાએ રાંદેર ઝોન બહાર હાઈ રિસ્ક ઝોન તરીકેના ચેતવણી બેનર લગાવ્યાં છે. અને પ્રજા સાવચેતી રાખે અને અન્ય જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે. તો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લો બાકાત રહ્યો નથી. વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્ર અને શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. ગત 24 કલાકમાં જિલ્લામાં કુલ 10 હજાર 367 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 હજાર 670 લોકો પોઝિટિવ આવ્યા છે.
GTUમાં નવી પહેલ
અમદાવાદના GTUમાં જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવાની તૈયારીઓ કરાઈ છે. સરકારની મંજૂરી બાદ કોરોના જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરી શકશે. કયા વેરિઅન્ટથી કેસ વધે છે તેની માહિતી જાણવી હવે વધુ સરળ બની છે. 3 દિવસમાં જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ જાણી શકાશે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર પાસેથી મશીન મેળવ્યું છે. તો બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા અમદાવાદ કોર્પોરેશન તૈયાર છે. અને સમરસ હોસ્ટેલને ફરી આઈસોલેશન સેન્ટર તરીકે બનાવી છે. હોસ્ટેલમાં અત્યારે 250 આઈસોલેશન બેડ કાર્યરત કરાયા છે.
આપણો ત્રીજી લહેરમાં પ્રવેશ
અમદાવાદમાં કોરોના સંક્રમણનો કહેર વધતા સરકાર એક્શનમાં મોડમાં આવી ગઈ છે. બુધવારે કોવિડ ટાસ્ક ફોર્સ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.સુધીર શાહ, જણાવ્યું હતું કે, આપણે ત્રીજી લહેરમાં પ્રવેશ કરી લીધો છે. લોકોએ કોરોનાને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરે. દેશમાં હાલ 68 ટકા કેસ ઓમિક્રોનના છે. હાલ ડેલ્ટા વેરિએન્ટના કેસ પણ જોવા મળે છે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા 18 ઘણું સંક્રમણ છે. જેને લઈને વાયરલનું મલ્ટીફિકેશન ઝડપી બને છે. તબીબોએ જણાવ્યું કે, આ વેરિયન્ટ જેણે વેક્સિન લીધી હોય તેને પણ સંક્રમિત કરી શકે છે. તબીબોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન પર અસર કરતી દવા ખાસ ઉપલબ્ધ નથી. વેક્સિનેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી જ બચી શકાશે.
રાજ્ય સહિત દેશમાં કોરોના કેસમાં સતત વધારો
ચેપીરોગ નિષ્ણાંત ડો.અતુલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સહિત દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિનોમ સિક્વન્સિગમાં ઓમિક્રોન વેરિએન્ટ મળે છે. બીજી લહેર વખતે ઘણી સમસ્યાઓ પડી હતી. આ રોગનો પ્રસાર થતો અટકાવવો જોઇએ. હાલ ગુજરાતમાં 17-18 હજાર કેસ દૈનિક નોંધાઇ રહ્યાં છે. મોટા ભાગના કેસ ઓમિક્રોન વેરિએન્ટના જ છે. ડેલ્ટા વેરિએન્ટ તોફાની વેરિએન્ટ હતો. જ્યારે ઓમિક્રોન વેરિએન્ટની દર્દીના શરીરને નુકસાન કરવાની ક્ષમતા હોય છે. નાક અને ગળાના ભાગમાં જ ઇન્ફેક્શન ફેલાય છે. શ્વસનતંત્રના ભાગમાં જ ઇન્ફેક્શન કરે છે. બે દિવસના તાવ બાદ દર્દી રિકવર થઇ જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ખાસ જરૂર નથી. આપણે સાવચેત નહી રહીતો અમેરિકાની જેમ લાખો કેસ નોંધાઇ શકે છે