ભારે વિરોધના પગલે ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે AMCની બેઠકમાં પુનઃચર્ચા, જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો લારી ગલ્લા એસો. હાઇકોર્ટના દ્વાર ખખડાવશે
અમદાવાદમાં ઇંડાની લારી વિવાદનો મામલો
ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે પુનઃચર્ચા
AIMIMના કોર્પોરેટર ઈંડા લઈને પહોંચ્યા AMC
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નિવેદન બાદ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય બદલી ઈંડા અને નોનવેજ નહીં પરંતુ તમામ દબાણ જાહેરમાર્ગો પર થી દૂર કરવામાં આવ્યા. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ મામલે મનપાઓના નિર્ણયનો આકરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ઈંડા-નોનવેજની લારી હટાવવા મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક થઇ છે.
AIMIMના કોર્પોરેટરે AMCના મેયરને ઈંડાની ભેટ આપી
વડોદરા, રાજકોટ, ભાવનગર બાદ આજે અમદાવાદ મનપા વિસ્તારમાં પણ જાહેર રસ્તા ઉપરની ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી મનપાનાં એસ્ટેટ વિભાગે કરી.. ભાજપ સાશીત મનપા માં આવા પ્રકારના નિર્ણયની ટીકાઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મનપા માં વિરોધી પાર્ટી AIMIM ના કાર્યકરો ઈંડા લઈ અમદાવાદ મનપાની કચેરીએ પહોંચ્યા અને માંગણી કરવામાં આવી કે મનસ્વી નિર્ણયને રદ કરવામાં આવે.. AIMIM ના કાર્યકરો ઇંડાઓ લઈ મેયરને ગિફ્ટ કરવા માંગતા હતા.. પરંતુ પોલીસે ઇંડાઓ ઝુંટવવા પ્રયાસ કરતા તૂટી ગયા હતા.. તો કોંગ્રેસે પણ મનપા માં દેખાવો કરી મેયર સમક્ષ માંગણી કરી હતી કે ઈંડા ની લારીઓ હટાવવાનો તઘલકી નિર્ણય રદ કરવામાં આવે.. અમદાવાદમાં 20 લાખથી વધુ ઇંડાનું વેચાણ દર્શાવે છે કે બધા ધર્મના લોકો ખાય છે.. જો દબાણ થતું હોય તો ઈંડા સાથે પાણીપુરી અને ફાફડાની લારીઓ પણ હટાવો..
અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણયને મુદ્દે આજે AMC ઓફિસ પર વિરોધ દર્શાવાયા હતો. જેમાં AIMIMના કોર્પોરેટર ઈંડા લઈને AMC પહોંચ્યા હતા અને મેયરને આપ્યા હતા. ઓફિસની બહાર પણ ઈંડા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે પુનઃચર્ચા
અમદાવાદમાં ઇંડાની લારી વિવાદને પગલે હવે AMC નરમ પડવાના એધાણ વર્તાઇ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડેપ્યુટી મેયર, દંડક, સ્થાઇ કમિટી ચેરમેન હાજર રહ્યા છે. વિરોધપક્ષના વિરોધ પહેલા જ બેઠકોનો દોર કરી સમગ્ર મામલે આગામી રણનીતિની ચર્ચા થઈ હોય તેવી માહિતી મળી રહ્યી છે. તેમજ બેઠકમાં ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે પુનઃચર્ચા કરવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસના કોર્પોરેટર્સ થોડીવારમાં મોટા પાયે વિરોધ કરવાની ફિરાકમાં છે તે પહેલા મળેલી બેઠક શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
બેઠક બાદ મેયરે શું કહ્યું?
સોમવારે અમદાવાદ મનપા એસ્ટેટ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર વેચાણ કરતા ઈંડા- નોનવેજ ની લારીઓ બંધ કરવા નિર્દેશ આપ્યા હતા.. ત્યાર બાદ કામગીરી શરૂ કરાઇ અને વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે મેયર કિરીટ પટેલે આ કામગીરી ભેદભાવ પૂર્ણ ના હોવાની સ્પષ્ટતા કરી છે.. મેયરે સ્પષ્ટ કર્યું કે અમદાવાદ મનપા ટ્રાફિક સમશ્યાઓ હોય ત્યાં રૂટિન કામગીરી ચાલી રહી છે, આ નિર્ણયને ધર્મ-જાતિ સાથે કોઈ લેવાદેવા નથી.. લોકોને જે ખાવું હોય એ ખાવા સ્વતંત્ર છે..
સીએમ ભુપેન્દ્ર પટેલના નિવેદન બાદ ઈંડાની નહીં તમામ લારીઓ હટાવાઈ
મહાનગરપાલિકા મા ઈંડા અને નોનવેજ ની લારીઓ દૂર કરવા નિર્ણય તો લેવાયો પરંતુ સી એમ ભુપેન્દ્ર પટેલ ના એક નિવેદન બાદ તંત્ર એ નિર્ણય બદલી દીધો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ નિર્ણય કર્યો કે શહેરના જાહેર માર્ગ, ધાર્મિક સ્થળ અને સ્ફુલ કોલેજ પાસેથી ઈંડા અને નોનવેજની લારી દૂર કરવામાં આવશે .અને આજ થી શહેર ના તમામ જાહેર માર્ગ પર થી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ રૂપ લારીઓ ઉપાડી લેવાનીકામગીરી શરૂ કરાઈ છે.
ભારતનું બંધારણ લોકોને ખાવાની સ્વતંત્રતા આપી રહ્યું છે ત્યારે આ પ્રકારના નિર્ણયની ટીકા થઈ રહી છે.. જો કે આ ચૂંટણીનું વર્ષ છે અને ભાજપ માટે ગુજરાત હંમેશા ટેસ્ટર ની ભૂમિકા ભજવતું હપય છે ત્યારે નિર્ણય અંગે ગમે ત્યારે પુનઃવિચારણા પણ થઈ શકે છે