વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જેનુ અમલીકરણ કરવાથી શિવજીની કૃપા મેળવશો
શ્રાવણમાસમાં કરી લો આ ઉપાયો
શિવજીની મળશે કૃપા
વાસ્તુમાં જણાવ્યા છે કેટલાક સૂચનો
શિવપ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ઉપવાસ કરવામાં આવે છે. શિવભક્તો રૂદ્રાભિષેક કરે છે. સોમવારપણ કરે છે. આ વર્ષે સાવન મહિનામાં 5 સોમવાર છે. દરમિયાન 2 ઓગસ્ટે નાગપંચમી અને 11 ઓગસ્ટે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. ભગવાન શિવને પ્રિય સાવન મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં વાસ્તુ સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સાચા હૃદયથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વાસ્તુમાં જણાવેલા આ ઉપાયો સાવન મહિનામાં કરવાથી સ્વાસ્થ્ય, કાર્યસ્થળ અને પારિવારિક જીવનમાં સુખદ પરિણામ મળે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવનું સ્મરણ કરીને ધાર્મિક ઉપવાસ કરો.
શ્રાવણ મહિનામાં તામસિક ભોજનથી દૂર રહો.
આ મહિનામાં દરરોજ શિવલિંગ પર દેશી ઘી ભેળવીને જળ ચઢાવો. આમ કરવાથી શારીરિક બિમારીઓ દૂર થાય છે.
શ્રાવણ મહિનામાં ઘઉંનું દાન કરવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે.
શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવને વસ્ત્રો અર્પણ કરો. અક્ષતને કપડાની ઉપર રાખીને તેને અર્પણ કરવાથી મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરો. આમ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.
વાસ્તુ મુજબ કોઈ પણ વસ્તુનો પૂરો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને યોગ્ય દિશામાં મુકવામાં આવે. તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવાથી તુલસીનો છોડ શુભ ફળ આપે છે. જણાવી દઈએ કે તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે.