IPL 2021ની બાકી રહેલી મૅચ રમાડવા માટે ઘણા દેશોએ ઑફર કરી હતી પરંતુ હવે ફાઇનલી બાકીની મૅચો જોઇ શકાશે. UAEમાં બાકી રહેલી IPLની મૅચ રમાશે.
અત્યાર સુધી આ વાતને લોકો અફવા માની રહ્યાં હતા પરંતુ BCCIએ મોહર લગાવી દીધી છે કે IPL2021ની બાકી રહેલી મૅચ UAEમાં જ રમાશે.
BCCIએ બતાવી લીલી ઝંડી
ભારતભરમાં આ ચર્ચા હતી કે હવે IPLની બાકી રહેલી મૅચ રમાશે કે નહી પરંતુ હવે ચાહકોની ચર્ચનો અંત આવ્યો છે. BCCIએ કહી દીધુ છે કે હવે બાકીની મૅચ UAEમાં રમાશે.
કેમ થઇ હતી સસપેન્ડ
IPL 2021 દર વખતની મેચ કરતા થોડી ઉતારચડાવવાળી હતી, કારણકે બાયો બબલમાં રહેવા છતાં પણ કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા અને કેટલાક ખેલાડીઓ ભારત છોડીને તેમના વતન પરત ફર્યા હતા. ભયંકર માહોલને જોતા આઇપીએલને રદ્દ કરવી પડી હતી.
પૂર્વ ક્રિકેટરે રદ્દ કરવાની કરી હતી માગ
દેશ માટે અત્યારનો સમય ખુબ જ મુશ્કેલીભર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ કીડી-મકોડાની જેમ ઉભરાઇ રહ્યા છે તો બીજી તરફ આઇપીએલમાંથી પણ વિદેશી ખેલાડીઓ બહાર થઇ રહ્યા છે.
આવા સમયમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવી દીધો છે પરંતુ બાયો બબલમાં આઇપીએલ મેચ જોશ સાથે રમાઇ રહી હતી પરંતુ હવે બાયો બબલ પણ સુરક્ષિત નથી લાગી રહ્યું. કોરોનાએ બાયો બબલમાં ઘૂસણખોરી કરી છે. કોરોનાએ આ બાયો બબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી અને ચેન્નઇ સુપર કિંગ્ઝના સપોર્ટ સ્ટાફને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.
કેકેઆરમાં વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ 3 મેના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર વિરુદ્ધ રમાનારી મેચને સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના કેટલાક ગ્રાઉન્ડમેન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
બીસીસીઆઇ પર ઉઠ્યા હતા સવાલ
સખ્ત નિયમો વચ્ચે પણ કોરોનાની એન્ટ્રી બાદ પૂર્વ ભારતીય ખેલાજી કીર્તિ આઝાદે તાત્કાલિક આઇપીએલ રોકવાની સલાહ આપી છે. કીર્તિ આઝાદે આઇપીએલમાં ખેલાડીઓની સુરક્ષાને મહત્વ આપવુ જોઇએ તેમ કહ્યું છે. તેમણે આ માહોલમાં પણ લીગને આગળ વધારવા માટે બીસીસીઆઇ પર સવાલ ઉઠાવ્યા છે.