હૈદરાબાદમાં શાનદાર પ્રદર્શન કરીને વિસ્ફોટક જીત હાંસલ કરી હતી, પરંતુ તિરુવનંતપુરમમાં બહુ જ ખરાબ પ્રદર્શન કરીને વિરાટ સેનાએ બીજી ટી-20 મેચ ગુમાવી. 20 ઓવરમાં પ્રથમ બેટિંગ કરીને 170 રન બનાવનારી ટીમ ઇન્ડિયા નવ બોલ બાકી હતા ત્યારે હારી ગઈ. ગઈ કાલની મેચમાં વિન્ડીઝે સારું પ્રદર્શન જરૂર કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ટીમ ઇન્ડિયાએ પણ ઘણી ભૂલો કરી.
રાહુલ ચોથી ઓવરમાં માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો
પાંચમી ઓવરમાં ભુવનેશ્વરની ઓવરમાં બે કેચ છોડ્યા.
દીપકે 35 અને ભુવીએ 36 રન લૂંટાવી દીધા
ઝડપી શરૂઆત ના મળવી ટીમ ઇન્ડિયાના પરાજયનું સૌથી મોટું કારણ
ખરાબ ઓપનિંગ, અંતિમ ઓવર્સમાં ધીમી બેટિંગઃ ટીમ ઇન્ડિયાનું પહેલું સૌથી મોટું કારણ રહ્યું ઓપનરોનું ફ્લોપ રહેવું. કે. એલ. રાહુલ અને રોહિત શર્માની જોડી ફરી એક વાર નિષ્ફળ રહી. રાહુલ ચોથી ઓવરમાં માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો, જ્યારે રોહિતે 18 બોલમાં માત્ર 15 રન બનાવ્યા. ઝડપી શરૂઆત ના મળવી ટીમ ઇન્ડિયાના પરાજયનું સૌથી મોટું કારણ રહ્યું. શિવમ દુબેએ 30 બોલમાં ૫૪ રન બનાવીને ભારતના રનરેટને નવની આસપાસ પહોંચાડી દીધો હતો, પરંતુ અંતિમ ઓવર્સમાં ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરે રનરેટ બગાડી નાખ્યો. અંતિમ પાંચ ઓવરમાં ભારતીય ટીમ માત્ર 38 રન જ બનાવી શકી.
બેહદ ખરાબ ફિલ્ડિંગઃ
પરાજયનું બીજું કારણ ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ ગણાવી શકાય. હૈદરાબાદમાં ખરાબ ફિલ્ડિંગ કરનારી ભારતીય ટીમે તિરુવનંતપુરમમાં તો હદ જ કરી નાખી. પાંચમી ઓવરમાં ભુવનેશ્વરની ઓવરમાં બે કેચ છોડ્યા. પહેલો કેચ વોશિંગ્ટન સુંદરે સિમન્સનો છોડ્યો. આનો ફાયદો ઉઠાવીને સિમન્સે અણણ 67 રન ફટકારી દીધા. ત્યાર બાદ એવિન લૂઇસનો કેચ પંતે છોડ્યો, લૂઇસે પણ 35 બોલમાં 40 રનની ઇનિંગ્સ રમી.
બોલર્સની ભૂલઃ
ખરાબ બોલિંગ ભારતના પરાજયનું ત્રીજું કારણ બની. દીપક ચાહક અને ભુવનેશ્વર જેવા બોલર્સે ઘણા ખરાબ બોલ ફેંક્યા. ગઈ કાલે દીપકે 35 અને ભુવીએ 36 રન લૂંટાવી દીધા. યુઝવેન્દ્ર ચહલ પણ ગઈ કાલે ધીમી પીચનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને તેણે ત્રણ ઓવરમાં 36 રન ખર્ચી નાખ્યા. જાડેજાએ પણ માત્ર બે ઓવરમાં 22 રન આપ્યા.