સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાના કારણો જાણવા માટે તપાસ શરુ કરાવી હતી, જેનાં શરૂઆતના રિપોર્ટ આવ્યા છે. જાણો વિગતવાર.
ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાની સરકારે શરુ કરાવી હતી તપાસ
બેટરી સેલનું ફોલ્ટી હોવું છે સૌથી મોટું કારણ
હવેના બે અઠવાડિયામાં આવશે ફાઈનલ રિપોર્ટ
ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાની સરકારે શરુ કરાવી હતી તપાસ
ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં આગ લાગવાનું કારણ સામે આવી ગયું છે. આગની ઘટનાઓ પર ગંભીર વલણ અપનાવતા સરકારે એક તપાસ શરુ કરાવી હતી અને તેનાં શરૂઆતના રિપોર્ટમાં આગ લાવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
બેટરી સેલનું ફોલ્ટી હોવું સૌથી મોટું કારણ
સરકારની શરૂઆતની તપાસમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી સેલ અને મોડ્યુલ્સનું ફોલ્ટી હોવું પણ જણાવવામાં આવે છે. સરકારે 3 કંપનીઓનાં ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાને લઈને તપાસ શરુ કરી હતી. આમાં Ola Electric અને Okinawa પણ સામેલ છે.
Ola અને Okinawaમાં મળી આ તકલીફ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Ola સ્કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી સેલ અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં તકલીફ હોવી છે. જ્યારે Okinawaનાં મામલામાં બેટરી સેલ અને બેટરી મોડ્યુલ સાથે જોડાયેલ ખામી મળી છે. જ્યારે Pure EVનાં સ્કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી કેસિંગનું યોગ્ય ન હોવું જણાવવામાં આવે છે.
હવેના બે અઠવાડિયામાં આવશે ફાઈનલ રિપોર્ટ
સમાચાર મળ્યા છે કે તપાસની ફાઈનલ રિપોર્ટ હવેના બે અઠવાડિયામાં આવશે. સરકારે આગળની તપાસ માટે ત્રણ કંપનીઓનાં બેટરી સેલનાં સેમ્પલ લીધા છે. આ વચ્ચે Ola Electricએ દાવો કર્યો છે કે તેમના માત્ર એક સ્કૂટરમાં થર્મલ સાથે જોડાયેલ તકલીફ મળી છે. જ્યારે કંપનીનાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં કોઈ ખામી નથી.
હાલનાં દિવસોમાં દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં 3 લોકોનો જીવ પણ ગયો છે. પછી Okinawa અને Olaએ મોટી સંખ્યામાં પોતાના સ્કૂટર રિકોલ પણ કર્યા.